PM મોદીએ કિંગ Charles III સાથે વાત કરી, ભારત-UK સંબંધો મજબૂત કરવા પર ચર્ચા
- PM મોદી અને કિંગ Charles III ની વાતચીત
- રાષ્ટ્રમંડલથી જળવાયુ ક્રિયા સુધીના મુદ્દાઓ પર ચર્ચા
- રાષ્ટ્રમંડલ અને જળવાયુ વિષય પર વિચારવિમર્શ
PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે અચાનક બ્રિટનના રાજા ચાર્લ્સ III (Charles III) ને ફોન કર્યો અને તેમની સાથે લાંબો સમય વાત કરી. ચાર્લ્સ III (Charles III) સાથેની વાતચીત દરમિયાન, PM એ ભારત અને UK વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં તેઓએ રાષ્ટ્રમંડલ, જળવાયુંની ક્રિયા અને સ્થિરતા સહિતના મુદ્દાઓ પર વિચાર વિનિમય કર્યો હતો અને કિંગ ચાર્લ્સ III (Charles III) ની વધુ સારું આરોગ્ય અને સુખાકારીની પ્રાથના કરી હતી.
આ પછી, PM મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "આજે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા સાથે વાત કરીને આનંદ થયો. ભારત-UK સંબંધોને મજબૂત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર. "રાષ્ટ્રમંડલ, જળવાયુંની ક્રિયા અને સ્થિરતા સહિતના પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોની આપલે કરી." PM એ કહ્યું, "તેમને (Charles III) સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની શુભેચ્છા પાઠવી છે." નિવેદન કે મોદીએ ચાર્લ્સ III (Charles III) સાથેની તેમની વાતચીતમાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા અને ભારત અને બ્રિટન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
It was a pleasure to speak with HM King Charles III today. Reaffirmed commitment to bolster India-UK ties. Exchanged views on issues of mutual interest, including the Commonwealth, climate action and sustainability.
Wished him good health and wellbeing. @RoyalFamily
— Narendra Modi (@narendramodi) December 19, 2024
આ પણ વાંચો : સઉદી અરબમાંથી મળ્યું સફેદ સોનું, ક્રૂડ ઓઇલ કરતા પણ ખુબ કિંમતી છે આ વસ્તું
આ મુદ્દાઓ પર ચર્ચા થઈ...
PMO એ જણાવ્યું હતું કે, તેઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ અને સમોઆમાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ અંગે મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. આ દરમિયાન, બંનેએ જળવાયુંની ક્રિયા અને સ્થિરતા સહિત પરસ્પર હિતના ઘણા વિષયો પર પણ ચર્ચા કરી. "PM એ આ મુદ્દાઓ પર કિંગ ચાર્લ્સની સતત હિમાયત અને પહેલની પ્રશંસા કરી અને તેમને ભારત દ્વારા લેવામાં આવેલી ઘણી પહેલ વિશે માહિતી આપી," PMO એ જણાવ્યું હતું કે, બંનેએ ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો : પતિ નશીલી દવા ખવડાવી પત્નીનો કરાવતો બળાત્કાર, લોકોને મેસેજ કરીને બળાત્કાર માટે બોલાવતો


