Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આર પારની લડાઈ,જાણો કેવી છે સ્થિતિ

તાલિબાનઓએ પાકિસ્તાનમાં કર્યો હુમલો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર તૈનાત કાબુલના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે અફઘાને બદલો લેવાની ચેતવણી આપી   Pakistan Afghanistan Tension : ભારતના પડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશોના સૈનિકો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર તૈનાત...
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આર પારની લડાઈ જાણો કેવી છે સ્થિતિ
Advertisement
  • તાલિબાનઓએ પાકિસ્તાનમાં કર્યો હુમલો
  • પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર તૈનાત
  • કાબુલના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે
  • અફઘાને બદલો લેવાની ચેતવણી આપી

Pakistan Afghanistan Tension : ભારતના પડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશોના સૈનિકો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર તૈનાત છે. તાલિબાને પાડોશી દેશ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં હુમલા કર્યા છે. આ અંગે કાબુલના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

Advertisement

Advertisement

તાલિબાનઓએ પાકિસ્તાનમાં હુમલો કર્યો

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે કહ્યું કે તાલિબાનઓએ પાકિસ્તાનમાં હુમલો કર્યો છે. કાબુલ તરફથી આ નિવેદન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હવાઈ બોમ્બમારા બાદ આવ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હુમલો સરહદ પાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સાથે આ વિસ્તારોનો ઉપયોગ અફઘાનિસ્તાન પણ કરે છે.

આ પણ  વાંચો -

તાલિબાનના હુમલાને લઈને પાકિસ્તાન મોંન

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લા ખાવરિઝ્મીએ જણાવ્યું હતું કે જે વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જે ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખાય છે, તેને તાલિબાન સરકાર પાકિસ્તાની ક્ષેત્ર ગણતી નથી. આ રેખા 19મી સદીમાં બ્રિટિશ રાજ દરમિયાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના પર્વતીય અને ઘણીવાર કાયદા વિનાના આદિવાસી પ્રદેશમાં દોરવામાં આવી હતી. જો કે તાલિબાનના હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આ પણ  વાંચો -

અફઘાને બદલો લેવાની ચેતવણી આપી

તમને જણાવી દઈએ કે અફઘાન અધિકારીઓએ બુધવારે ચેતવણી આપી હતી કે તેઓ પાકિસ્તાની બોમ્બ ધડાકા બાદ જવાબી કાર્યવાહી કરશે, જેમાં લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ઈસ્લામાબાદે કહ્યું કે તેણે સરહદ પર ઈસ્લામિક આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આને લઈને બંને પાડોશી દેશોના સંબંધોમાં તણાવ છે.

Tags :
Advertisement

.

×