કેમ 3 માર્ચે ઉજવવામાં આવે છે World Wildlife Day? ચાલો જાણીએ મહત્વપૂર્ણ બાબતો
- દસ લાખથી વધુ પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં
- વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે
- જંગલી પ્રાણીઓ અને છોડ વિશે જાગૃતિ લાવવા થઈ રહ્યો છે પ્રયાસ
World Wildlife Day 2025: પૃથ્વીનું સંતુલન જાળવી રાખવા માટે વૃક્ષો સાથે સાથે પ્રાણીઓની સંભાળ રાખવી પણ જરૂરી બને છે. જો કે, લોકોમાં પ્રાણીઓ પ્રત્યે કેટલી સહાનુભૂતિ છે તે સૌ કોઈ જાણે છે. લોકોમાં પ્રાણીઓ પ્રત્યે જાગૃતતા જળવાઈ રહે તે માટે ત્રીજી માર્ચે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી છે. વધતી જતી ત્રિપલ ગ્રહીય કટોકટી વચ્ચે દસ લાખથી વધુ પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે, વિશ્વ વન્યજીવન દિવસ, એક વૈશ્વિક કાર્યક્રમ, જે દર વર્ષે ઉજવવામાં આવે છે, તે વિશ્વના જંગલી પ્રાણીઓ અને છોડ વિશે જાગૃતિ લાવવા અને ઉજવણી કરવા માટે સમર્પિત છે.
Today, on #WorldWildlifeDay, let’s reiterate our commitment to protect and preserve the incredible biodiversity of our planet. Every species plays a vital role—let’s safeguard their future for generations to come!
We also take pride in India’s contributions towards preserving… pic.twitter.com/qtZdJlXskA
— Narendra Modi (@narendramodi) March 3, 2025
અન્ય જીવે લુપ્ત ના થાય તે માટે લોકોએ જાગૃત થવુ જરૂરી
આ દિવસ વિશ્વભરના વ્યક્તિઓ, સમુદાયો અને સંગઠનોને એકસાથે આવવા, જ્ઞાન શેર કરવા અને લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમના રહેઠાણોનું રક્ષણ અને જાળવણી કરતી નીતિઓ અને પ્રથાઓની હિમાયત કરવાની તક પૂરી પાડે છે. અત્યારે પૃથ્વી પર પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય તેવા અનેક રિપોર્ટ સામે આવ્યાં છે. એવા કેટલા જીવો છે જે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયાં છે. પરંતુ હવે અન્ય જીવે લુપ્ત ના થાય તે માટે લોકોએ જાગૃત થવાની ખાસ જરૂર છે.
પ્રકૃતિના જતન માટે વન્યજીવોનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે.
વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે આવો આપણે સૌ વન્યજીવોની સુરક્ષા, કાળજી તેમજ સુયોગ્ય વાતાવરણ પૂરું પાડી ગુજરાતના વૈવિધ્યસભર વારસાને વધુ સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ થઈએ#WorldWildlifeDay2025 pic.twitter.com/nJYFZaLiZG
— Gujarat Information (@InfoGujarat) March 3, 2025
આ પણ વાંચો: Safari Park: 'વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે' નિમિતે PM મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા
World Wildlife Day 2025: તારીખ અને થીમ
વિશ્વ વન્યજીવન દિવસ દર વર્ષે 3 માર્ચે ઉજવવામાં આવતો હોય છે. આ વખતે 2025ની વાત કરવામાં આવે તો, આજે સોમવારે "વન્યજીવન સંરક્ષણ નાણાં: લોકો અને ગ્રહમાં રોકાણ" (“Wildlife Conservation Finance: Investing in People and Planet.”) ની થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે. થીમ માનવતા અને પર્યાવરણ બંનેને લાભદાયક સ્થિતિસ્થાપક ભવિષ્ય બનાવવાના લક્ષ્ય સાથે હાલના નાણાકીય સંસાધનોની અસરકારકતા અને ટકાઉપણું વધારવામાં સહયોગના મહત્વ પર પ્રકાશ પાડે છે.
World Wildlife Day is celebrated annually on March 3rd to honor and raise awareness about the world's wild animals and plants.
It was first celebrated on March 3, 2014.#WorldWildlifeDay #WorldWildlifeDay2025 #Wildlife #Planet #WildlifeConservation #NatureLovers #Gir… pic.twitter.com/lTXbA61GUt
— GujaratForestDept (@GujForestDept) March 3, 2025
આ પણ વાંચો: Oscars 2025 : 97મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત, વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ
વિશ્વ વન્યજીવન દિવસ 2025: ઉત્પત્તિ અને મહત્વ
વન્યજીવનના મહત્વ તરફ વૈશ્વિક ધ્યાન દોરવા અને તેમના રક્ષણ માટેના પ્રયાસોને પ્રેરણા આપવા માટે થાઇલેન્ડના પ્રસ્તાવને અનુસરીને ડિસેમ્બર 2013 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ વન્યજીવન દિવસની સ્થાપના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 1973 માં જંગલી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના સંમેલન (CITES) ને અપનાવવા માટે 3 માર્ચની તારીખ પસંદ કરવામાં આવી હતી.


