Home » અચાનક નિર્ણય લઇ ચોંકાવતો રહ્યો છે ધોની, આ છે તેના ચોંકાવનારા નિર્ણય
અચાનક નિર્ણય લઇ ચોંકાવતો રહ્યો છે ધોની, આ છે તેના ચોંકાવનારા નિર્ણય
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
66
મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ જે ક્રિકેટ જગતમાં ભાગ્યે જ કોઇ નહીં જાણતું હોય. કેપ્ટનશીપની વાત હોય કે વિકેટકીપિંગની કે પછી લોવર ડિપાર્ટમેન્ટમાં બેટિંગની વાત હોય તમામ ક્ષેત્રે ધોની નંબર વન જ રહ્યો છે. વળી તે અવાર-નવાર એવા નિર્ણય લઇ લે છે જેનાથી તેના ફેન પણ થોડીવાર માટે માથું ખંજવાળવા લાગે છે.
IPL સિઝન 15 પહેલા CSKની છોડી કેપ્ટનશિપ
તાજેતરમાં ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી એકવાર ફરી તેના ફેન્સને ચોંકાવી દીધા છે. છેલ્લા ઘણા સમયથી ધોનીની કેપ્ટનશિપ જોવા માંગતા ફેન્સ માટે આ એક અચાનક લાગેલા શોક બરોબર છે. જ્યા શનિવારથી IPLની શરૂઆત થવાની છે ત્યારે તે પહેલા CSKની કેપ્ટનશિપ રવિન્દ્ર જાડેજા કરશે. જોકે, એવું નથી કે ધોનીએ આવો નિર્ણય પહેલીવાર લીધો હોય. આ પહેલા પણ ઘણા એવા સમય આવ્યા છે જ્યારે ધોનીએ તેના અચાનક નિર્ણયથી સૌ કોઇને ચોંકાવી દીધા છે.
વિશ્વ કપ પહેલા લગ્ન
2011નાં વિશ્વ કપને લઇને ધોનીએ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી હતી. તમામ ખેલાડીઓ આ વિશ્વ કપને જીતવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા હતા. વળી કહેવાતું હતું કે, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માટે આ વિશ્વ કપ અંતિમ હોઇ શકે છે. જોકે, આ વચ્ચે અચાનક જ સમાચાર સામે આવ્યા કે ધોનીએ દહેરાદૂનમાં એક છોકરી (સાક્ષી) સાથે લગ્ન કરી દીધા છે. અહીં સૌથી નવાઇની વાત એ હતી કે ભારતીય ટીમના તેના સાથી ખેલાડીઓને પણ આ અંગે કોઇ જાણ નહોતી. ધોનીએ તેના અમુક મિત્રો સાથે દહેરાદૂનમાં સાક્ષી સાથે લગ્ન કરી દીધા હતા.
વિશ્વ કપ જીત્યા બાદ મુંડન કરાવ્યું
ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2011નો વન-ડે વિશ્વ કપ 28 વર્ષ બાદ જીતી ભારતીઓને એકવાર ફરી ગર્વ કરવાની પળ આપી હતી. ટીમ ઈન્ડિયાના વિશ્વ કપ જીતની રાત્રિએ ખેલાડીઓ પૂરી રાત આ જીતનું સેલિબ્રેશન કરતા રહ્યા, અને બીજા દિવસે અચાનક એક ફોટો સામે આવ્યો કે જેમા જોવા મળ્યું કે, ધોનીએ તેના વાળ કઢાવી મુંડન કરાવ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સન્યાસ
ટેસ્ટમાં પણ બેસ્ટ પ્રદર્શન આપનાર ધોનીએ 2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ સમયે સિરીઝની અધ વચ્ચેથી કેપ્ટનશિપ છોડી પણ બધાને ચોંકાવી દીધા હતા. ટેસ્ટના બીજા દિવસે જ્યારે તમામ ખેલાડીઓ મેદાને પહોંચ્યા ત્યારે બધાને ખબર પડી કે ધોનીએ ટેસ્ટમાંથી સન્યાસ લઇ લીધો છે. જે તે સમયે તેના સાથી ખેલાડીઓ માટે પણ ચોંકાવનારા સમાચાર હતા. વળી આ અંગે BCCIએ પુષ્ટી કરી હતી.
વર્ષ 2017માં વન-ડે અને T-20 કેપ્ટનશિપ છોડી
વર્ષ 2014માં ધોનીના ટેસ્ટમાંથી સન્યાસ લીધા બાદ સૌ કોઇને હતું કે હવે તે વન-ડે અનો T20માં પોતાનું બેસ્ટ પરફોર્મન્શ આપશે અને આ બે ફોર્મેટને ઇન્જોય કરતા કેપ્ટનશિપ કરશે. પરંતુ તેનાથી વિપરીત ધોનીએ ટેસ્ટમાંથી સન્યાસ લીધાના 3 વર્ષ બાદ વન-ડે અને T20માંથી પણ કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો. જેના કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટે કેપ્ટનશિપ સંભાળી હતી. પરંતુ ઘણીવાર મેદાનમાં જોવા મળતું હતું કે વિરાટ કેપ્ટન હોવા છતા તમામ નિર્ણય ધોની જ લઇ રહ્યો હતો. ઘણીવાર એવી વાત પણ સામે આવતી હતી કે ટીમ ઈન્ડિયા બે-બે કેપ્ટન સાથે મેદાનમાં ઉતરે છે.
વન-ડે અને T20માંથી પણ લીધું સન્યાસ
જે રીતે 2011 વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર જીત મેળવી હતી તેવી જ આશા 2019ના વિશ્વ કપમાં ક્રિકેટ ફેન્સને હતી. પરંતુ 2019 ક્રિકેટ વિશ્વ કપમાં હાર બાદ ધોનીની નિવૃત્તિની ચર્ચાઓ વધી ગઇ હતી, પરંતુ ધોનીએ આ અંગે કઇં જ કહ્યું નહતું. 15 ઓગસ્ટ 2020 ના રોજ, અચાનક ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તેનો સમય સાંજે 7.29 મિનિટનો હતો. આ તે સમય પણ હતો જ્યારે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિર્ણાયક સમયે મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ પડી હતી. આ વિડીયોમાં ગીત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject