Home » Politics : “વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે”, જાણો કોણે કહ્યું
Politics : “વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે”, જાણો કોણે કહ્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
143
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
“વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે”
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ બળવાના મૂડમાં
ધારાસભ્યના રાજીનામા ચિંતાનો વિષયઃ કિરીટ પટેલ
કિરીટ પટેલે કહ્યું કોંગ્રેસને જાગૃત થવાની જરૂર
કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાવા અંગે કિરીટ પટેલનો દાવો
જે ચૂંટાયા એ પોતાની પ્રતિભા, પ્રભાવથી ચૂંટાયાઃ કિરીટ
કોંગ્રેસના લોકો જ હરાવવા ફરતા હોય છેઃ કિરીટ પટેલ
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ બળવાના મૂડમાં જણાઇ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે વિપક્ષના હજું ત્રણથી ચાર ધારાસભ્ય તૂટશે અને ધારાસભ્યોના રાજીનામા એ ચિંતાનો વિષય છે. કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસે હવે જાગૃત થવાની જરુર છે.
વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યોએ તાજીતરમાં રાજીનામા આપી દીધા છે ત્યારે ફરી એક વાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે કહ્યું કે વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે. તેમણે એમ પણ કહ્યું કે ધારાસભ્યના રાજીનામા ચિંતાનો વિષય છે અને હવે કોંગ્રેસને જાગૃત થવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે જે ચૂંટાયા એ પોતાની પ્રતિભા, પ્રભાવથી ચૂંટાયા છે કારણ કે કોંગ્રેસના લોકો જ હરાવવા ફરતા હોય છે. કિરીટ પટેલના સૂર જોતાં તેઓ બળાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મિટિંગ કરવાની જરૂર
એક તરફ કોંગ્રેસ સતત તૂટતી રહી છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે તેમ તેમણે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે પક્ષે આ બાબતે જાગૃત થવા ની જરૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મિટિંગ કરવાની જરૂર છે અને જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે નહિ તો ભવિષ્યમાં મોટું નુકશાન થાય તેમ છે તેમ તેમણે કહ્યું હતું.
જે ધારાસભ્ય ચૂંટાયા છે તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઇ ચૂંટાયા છે
તેમણે વધુમાં કહ્યું કે પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છે તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઇ ચૂંટાયા છે જયારે ભાજપમાં પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છે. કોગ્રેસમાં તો કોગ્રેસ ના જ લોકો હરાવવા ફરતા હોય છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઇ શકે છૅ..
કોંગ્રેસ સિરીયસ નથી
કિરીટ પટેલે કહ્યું કે ધારાસભ્યો તૂટી રહ્યા છે અને તેથી પક્ષના આગેવાનોનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગ્રેસ સિરીયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી જ્યારે આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠનની બેઠક બોલાવી સમસ્યાનો હલ લાવી હોત તેમ તેમણે કહ્યું હતું. પોતાના ભવિષ્યના સ્ટેન્ડ અંગે તેમણે કહ્યું કે ભવિષ્યમાં શું થશે તે હાલ હું કહી શકું તેમ નથી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject