PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં સુષમા સ્વરાજ ભવનમાં પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી હતીં. આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં તેમણે મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનો ટાળવા અને વધુ બોલવાથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે પણ બોલો ત્યારે સમજી વિચારીને બોલો. વડાપ્રધાને તેમના મંત્રી પરિષદના સભ્યોને ડીપ ફેકથી સાવધ રહેવા જણાવ્યું હતું. પીએમએ કહ્યું કે જો તમારે બોલવું જ હોય તો સરકારી યોજનાઓ પર બોલો અને વિવાદાસ્પદ નિવેદનોથી બચો. પીએમ મોદીએ મીટિંગ દરમિયાન કહ્યું કે મેં મારા કેબિનેટમાં સામેલ રાજ્યસભાના સાંસદોને આગામી લોકસભા ચૂંટણી લડવા માટે કહ્યું છે.
ભાજપે પોતાના 195 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી
તમને જણાવી દઈએ કે ભારતી જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદીમાં એવા 7 નામ છે, જેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ છે અને મોદી સરકારમાં મંત્રી પદ સંભાળી રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના પોરબંદરથી મનસુખ માંડવિયા, રાજસ્થાનના અલવરથી ભૂપેન્દ્ર યાદવ, કેરળના તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખર, આસામના ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, ગુજરાતના રાજકોટની મુરલીનગર સીટથી પરસોત્તમાઈ રૂપાલા અને વી. આગામી લોકસભા ચૂંટણીમાં કેરળમાં લડશે.
ભારતને વિકસિત બનાવવા માટે પ્રધાનમંત્રીએ કરી ખાસ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીપરિષદની બેઠકમાં રહ્યું કે, આ વર્ષે જૂનમાં જે બજેટ રજૂ કરવામાં આવે તેમાં ભારતની ઝલક જોવા મળવી જોઈએ. ભારત 2047 સુધીમાં ભારત કઈ રીતે વિકસિત દેશ બનશે તેને લઈને મંત્રીઓને પ્રધાનમંત્રીએ પાંચ બાબતો અંગે જાણકારી આપી હતીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીઓમાં અશ્વિની વૈષ્ણવ, હરદીપ સિંહ પુરી, કિરેન રિજિજૂ, અર્જુન મેઘવાલ અને પીયૂષ ગોયલે પણ પોતાના મંતવ્યોને પ્રધાનમંત્રી સામે રાખ્યા હતાં. ભાજપ તેના લોકસભા ચૂંટણી પ્રચારમાં કેન્દ્રની સિદ્ધિઓ અને વિકાસ યોજનાઓ પર ભાર મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અંગે મંત્રી પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને છેલ્લા 5 વર્ષની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપે જાહેર કરેલી યાદીમાં આ મંત્રીઓના નામ પણ સામેલ
ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી પ્રમાણે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પણ વારાણસીથી ચૂંટણી લડવાનાં છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે તો તેઓ ગાંધીનગરથી અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડવાના છે. પાર્ટીની પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સર્વાનંદ સોનોવાલ અને બિપ્લબ કુમાર દેબના નામ સામેલ છે. ભાજપે આ વખતે કેટલાક અગ્રણી ચહેરાઓ સહિત વિવિધ રાજ્યોના 33 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધનને અનુક્રમે મધ્ય દિલ્હી અને ચાંદની ચોક બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી.