ફરી થયો રાજા રઘુવંશી જેવો કાંડ! લગ્નના 15 દિવસ બાદ પત્નીએ જ પતિનું કાસળ કાઢ્યું
- ઈન્દોર બાદ હવે મહારાષ્ટ્રના સાંગલીમાં કાતિલ દુલ્હન
- સોનમ રઘુવંશી બાદ હવે કાતિલ રાધિકાનો કિસ્સો ચર્ચામાં
- લગ્નના 15 દિવસ બાદ પત્નીએ કાઢ્યું પતિનું કાસળ
- કુહાડીના ઘા ઝીંકીને પત્નીએ પતિની કરી દીધી હત્યા
- કુપવાડ MIDC પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી
Murderous bride in Sangli : ઈન્દોરની ઘટના બાદ હવે મહારાષ્ટ્રમાંથી પણ કઇંક આવી જ ઘટના સામે આવી રહી છે. જ્યા એક દુલ્હન કાતિલ બની હોવાનું સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની ચર્ચાઓ હજુ શાંત થઈ નથી ત્યાં સાંગલીના કુપવાડ શહેરમાં એક નવપરિણીત મહિલાએ લગ્નના માત્ર 15 દિવસમાં પોતાના પતિની ક્રૂર હત્યા કરી નાખી. આ ઘટના વટ પૂર્ણિમાની રાત્રે બની, જ્યારે એક તરફ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષની પૂજા કરી રહી હતી, ત્યારે 27 વર્ષીય રાધિકા બાલકૃષ્ણ ઇંગ્લેએ પોતાના 45 વર્ષીય પતિ અનિલ તાનાજી લોખંડેની કુહાડીથી હત્યા કરી દીધી. આ ઘટનાએ સમાજમાં આઘાતનું મોજું ફેલાવ્યું છે.
ઘટનાની વિગતો
આ ઘટના 11-12 જૂન 2025ની મધ્યરાત્રિએ કુપવાડના પ્રકાશ નગરમાં આવેલી એકતા કોલોનીમાં બની. પોલીસના જણાવ્યા અનુસાર, રાધિકાએ અનિલ પર કુહાડીથી હુમલો કર્યો, જેમાં તેના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. કુપવાડ MIDC પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી અને રાધિકાને કસ્ટડીમાં લઈ લીધી. આરોપી રાધિકા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ હાલ હત્યા પાછળના ચોક્કસ કારણોની તપાસમાં વ્યસ્ત છે.
STORY | Woman kills husband 15 days after marriage in Maharashtra's Sangli; arrested
READ: https://t.co/dxYBx2NqAu
VIDEO | Here's what Dilip Bhandwalkar, Inspector, MIDC Police Station, said about the incident:
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/sOb7vtesdd
— Press Trust of India (@PTI_News) June 12, 2025
અનિલ લોખંડેના બીજા લગ્ન
મળી રહેલી માહિતી અનુસાર, અનિલ લોખંડેના આ બીજા લગ્ન હતા. તેમની પહેલી પત્નીનું કેન્સરને કારણે અવસાન થયું હતું, અને તેમને પહેલા લગ્નથી બે પરિણીત પુત્રીઓ છે. પેટની બીમારીથી પીડાતા અનિલ એકલા રહેતા હતા. સંબંધીઓની સલાહ પર, તેમણે 17 મે 2025ના રોજ સતારા જિલ્લાના વાડી ગામની રાધિકા ઇંગ્લે સાથે લગ્ન કર્યા. જોકે, લગ્નના થોડા દિવસોમાં જ આ દુ:ખદ ઘટના બની, જેણે અનિલના પરિવાર અને સમાજને આઘાતમાં મૂકી દીધા.
હત્યાનું કારણ શું?
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલની વારંવારની શારીરિક સંબંધોની માંગણીથી રાધિકા નારાજ હતી, જેના કારણે બંને વચ્ચે ઘણીવાર ગરમાગરમ ચર્ચાઓ થતી હતી. એક વખત ઝઘડામાં રાધિકાએ ગુસ્સામાં આવીને અનિલ પર ઊંઘમાં હોય ત્યારે કુહાડીથી હુમલો કર્યો. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, અને પોલીસ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સમાજ પર અસર
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મહારાષ્ટ્રમાં વટ પૂર્ણિમાનું વ્રત પરિણીત મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આવા પવિત્ર દિવસે રાધિકા દ્વારા કરવામાં આવેલી આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ગુસ્સો ફેલાવ્યો છે. આ ઘટનાએ લોકોને એકબીજા પ્રત્યેના વિશ્વાસ અને સંબંધોની પવિત્રતા પર સવાલો ઉભા કર્યા છે.
પોલીસની કાર્યવાહી
કુપવાડ MIDC પોલીસે રાધિકાની તાત્કાલિક ધરપકડ કરી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાધિકા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધાયો છે, અને તેની પૂછપરછ દ્વારા હત્યાના પાછળના ઊંડા કારણો અને પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડ પછી બીજો એક ચોંકાવનારો કિસ્સો છે, જેના કારણે દેશભરમાં દામ્પત્ય સંબંધો પર સંકટના વાદળો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો : Raja Raghuvanshi murder Case : લગ્ન પછી પણ સોનમ અને રાજા વચ્ચે નહોતો કોઈ સંબંધ!


