UP મોકલી દો, બરાબર ઇલાજ કરી દઇશું...ઔરંગઝેબના ગુણગાન કરનારા પર ભડક્યા CM યોગી
- ઔરંગઝેબને લઈ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ
- ઔરંગઝેબ પર વિધાનસભામાં CM યોગીનું નિવેદન
- આવા લોકોનો તો યુપી સારી રીતે ઇલાજ કરશે: CM યોગી
Aurangzeb Controversy: ઔરંગઝેબની (Aurangzeb Controversy )પ્રશંસા કરવાને લઇને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. સપા ધારાસભ્ય અબૂ આઝમી(Abu Azmi)ને વિધાનસભાના હાલના સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. ત્યારે આ મામલે હવે સીએમ યોગી(CM Yogi)નું નિવેદન સામે આવ્યું છે. તેમણે નામ લીધા વિના અબૂ આઝમી પર પ્રહાર કરતા કહ્યું કે સપામાં એક નેતા છે. જે ઓરંગઝેબને પોતાના આદર્શ માને છે. જો તેઓમાં એટલે કે સપામાં હિંમત હોય તો પાર્ટીમાંથી બહાર કાઢીને બતાવે.
આવા લોકોનો તો યુપી સારી રીતે ઇલાજ કરશે: CM યોગી
નેતા અબુ આઝમીનું નામ (CM Yogi on Abu Azmi )લીધા વિના સીએમ યોગીએ કહ્યું કે સપા ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે. અરે, તે વાહિયાતને પાર્ટીમાંથી કાઢી નાખો નહીંતર તેને યુપી મોકલી દો. ઉત્તર પ્રદેશ આવા લોકોનો બહુ સારી રીતે ઇલાજ કરે છે. વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી હવે ડૉ. લોહિયાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. આજે તેઓ ઔરંગઝેબને પોતાનો આદર્શ માનવા લાગ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ઔરંગઝેબના પિતા શાહજહાંએ પોતે લખ્યું હતું કે ભગવાન કોઈને આવો પુત્ર ન આપે. સીએમ યોગીએ સમાજવાદી પાર્ટીને શાહજહાંનું જીવનચરિત્ર વાંચવાની સલાહ આપી હતી.
#WATCH | Lucknow: On Samajwadi party MLA Abu Azmi's statement on Aurangzeb, which he later withdrew, UP CM Yogi Adityanath says, " Remove that person from (Samajwadi) party and send him to UP, we will do his treatment. The person who feels ashamed about the heritage of… pic.twitter.com/SHXClYoyaz
— ANI (@ANI) March 5, 2025
આ પણ વાંચો -UP assembly: મહાકુંભમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ ન હતો:સીએમ યોગી
યોગીએ એસપીને પ્રશ્ન પૂછ્યો
સીએમ યોગીએ સપા સુપ્રીમો અખિલેશ યાદવ તરફ જોયું અને કહ્યું કે તે હરામખોરને પાર્ટીમાંથી કાઢી મૂકો અને પછી તેને યુપી મોકલો, બાકીની સારવાર અમે કરાવીશું. જે વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજની પરંપરા પર ગર્વ અનુભવવાને બદલે શરમ અનુભવી રહી છે. તે ઔરંગઝેબને પોતાનો હીરો માને છે. શું આવા લોકોને ભારતમાં રહેવાનો અધિકાર હોવો જોઈએ? એસપીએ આનો જવાબ આપવો જોઈએ. છેવટે, તમારામાં એવી કઈ નસ છે કે તમે તમારા ધારાસભ્ય વિશે નિર્ણય લઈ શકતા નથી?
આ પણ વાંચો -ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના! ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબને જોડતો પુલ તૂટ્યો
સપા સુપ્રીમોએ સ્પષ્ટતા આપી
તમને જણાવી દઈએ કે આજે સવારે મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આનો વાંધો ઉઠાવતા, સપા સુપ્રીમો અખિલેશ યાદવે X પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે જો સસ્પેન્શનનો આધાર વિચારધારાથી પ્રભાવિત થવા લાગે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગુલામીમાં શું ફરક રહેશે? આપણા ધારાસભ્યો હોય કે સાંસદો, તેમની નિર્ભય શાણપણ અજોડ છે. કેટલાક લોકો માને છે કે સસ્પેન્શન સત્યને દબાવી શકે છે તો આ તેમની નકારાત્મક વિચારસરણી છે.


