Bihar માં રાજકીય ગરમાવો, પ્રશાંત કિશોરનો ઉપવાસ અને પપ્પુ યાદવના આક્ષેપો...
- BPSC વિવાદ દરમિયાન પ્રશાંત કિશોરની તબિયત બગડી
- પપ્પુ યાદવ Bihar ના રાજ્યપાલને મળ્યા
- પપ્પુ યાદવે પ્રશાંત કિશોર પર આરોપ લગાવ્યો
બિહાર (Bihar)માં BPSC ચળવળનું નેતૃત્વ કરનાર જન સૂરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરની તબિયત અચાનક બગડી ગઈ છે. પ્રશાંત કિશોરની ગઈકાલે આમરણાંત ઉપવાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. જો અહેવાલોનું માનીએ તો પ્રશાંત કિશોરની તબિયત કસ્ટડી દરમિયાન અચાનક બગડી હતી. તેમને ગઈકાલે રાત્રે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રશાંત કિશોરની તબિયત કેમ બગડી?
પ્રશાંત કિશોરની ટીમના જણાવ્યા અનુસાર, તે 2 જાન્યુઆરીથી માત્ર પાણી પર જ જીવતો હતો અને તેણે એક દાણો પણ ખાધો નથી, જેના કારણે પ્રશાંત કિશોરની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રશાંત કિશોરને પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
BPSC अभ्यर्थी भीषण ठंड में पुलिस से पिट रहे थे और Tejashwi Yadav आग सके रहे थे: Prashant Kishor pic.twitter.com/pX1z5IAhui
— Baat Bihar Ki (@BaatBiharKii) January 7, 2025
આ પણ વાંચો : UP : ચશ્મામાં છુપાયેલો કેમેરો, રામ મંદિરમાં તસવીરો લેતા યુવકની અટકાયત...
પપ્પુ યાદવ રાજ્યપાલને મળ્યા હતા...
પૂર્ણિયાના લોકસભા સાંસદ પપ્પુ યાદવે આજે બિહાર (Bihar)ના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યપાલને BPSC વિવાદની તમામ માહિતી આપી છે. તેમણે BPSC ની 70 મી પરીક્ષા રદ કરવાની માંગ કરી છે.
Patna, Bihar: On Jan Suraaj Party founder Prashant Kishor, Purnia MP Pappu Yadav says, "My only point is that one individual tried to politicize the matter and attempted to gain political mileage. They sidelined the issues of BPSC, destroyed them, and crushed the hopes and dreams… pic.twitter.com/zltuW0qQeo
— IANS (@ians_india) January 7, 2025
આ પણ વાંચો : HMPV વાયરસનો ખતરો વધ્યો, ભારતના 7 કેસમાં નાગપુરમાં બે નવા દર્દીઓ...
પપ્પુ યાદવે પ્રશાંત કિશોર પર આરોપ લગાવ્યો...
રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન પપ્પુ યાદવે પ્રશાંત કિશોર પર વિદ્યાર્થીઓના મુદ્દાઓને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રશાંત કિશોરે પોતાનો ચહેરો ચમકાવવા માટે વિદ્યાર્થીઓનો મુદ્દો ગાયબ કરી દીધો. હવે તે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને આગળ આવવા માટે કહી રહ્યા છે, પરંતુ તેમની સ્થિતિ શું છે?
આ પણ વાંચો : Earthquake : Delhi-Bihar ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યા, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા નોંધાઈ


