National Voters Day: CEC રાજીવ કુમારે પક્ષોને ખોટા નિવેદનો અને ખોટા પ્રચારથી દૂર રહેવા સલાહ આપી
- 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે
- ચૂંટણી પંચની સ્થાપના આજના દિવસે 1950માં થઈ હતી
- રાજીવ કુમારે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને સંબોધિત કરી
Chief Election Commissioner on National Voters' Day: દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના આજના દિવસે 1950માં થઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે શનિવારે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય મતદાતા દિવસ પર "વિક્ષેપકારક પ્રચાર" અને "ખોટા નિવેદનો" થી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, આનાથી યુવાનોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે મોહભંગ થઈ શકે છે.
Message from the Chief Election Commissioner of #India, Shri Rajiv Kumar on the eve of 14th National Voters’ Day.
Watch here : https://t.co/82BnphvPZ6 #NVD2024 #ECI #IVote4Sure
— Election Commission of India (@ECISVEEP) January 24, 2024
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, પક્ષોએ ખોટા નિવેદનો અને ખોટા પ્રચારથી બચવું જોઈએ. તેમણે રાજકીય પક્ષોને ખાતરી આપી હતી કે, ચૂંટણી પ્રક્રિયા પર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ ચૂંટણી પંચ લેખિતમાં આપશે.
આ પણ વાંચો : ભાજપના સંકલ્પ પત્ર ભાગ 3 માં શું છે? અમિત શાહે કહ્યું- કેજરીવાલ દિલ્હીમાં જુઠ્ઠાણા ચલાવે છે


