દિલ્હી બ્લાસ્ટના મૃતકોના પોસ્ટમોર્ટમ રિર્પોટ જાહેર, ચોંકાવનારા થયા ખુલાસા!
- Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટના મૃતકોના પોસ્ટમોર્ટમ રિર્પોટ જાહેર
- મૃતકોના શરીરના આંતરિક અંગોને ભારે નુકસાન
- વિસ્ફોટની તીવ્રતા વધારે હોવાથી કાનના પડદા પણ ફાટી ગયા
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં (Delhi Red Fort Blast) માર્યા ગયેલા લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post Mortem Report) જાહેર કરવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. આ રિપોર્ટ વિસ્ફોટની ભયાનકતા અને તેની ઉચ્ચ તીવ્રતા સ્પષ્ટપણે દર્શાવે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મૃતકોના શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન થયું હતું; તેમના ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા. વધુમાં, વિસ્ફોટના પ્રચંડ અવાજ અને દબાણને કારણે તેમના કાનના પડદા પણ ફાટી ગયેલા જોવા મળ્યા હતા.
Delhi Red Fort Blast: વિસ્ફોટની તીવ્રતા ખુબ વધારે હતી
વિસ્ફોટના ધમાકાના આંચકાથી ઘણા લોકોના હાડકાં તૂટી ગયા હતા અને પેટના આંતરિક અવયવોને પણ નુકસાન પહોંચ્યું હતું. રિપોર્ટ એવું પણ સૂચવે છે કે મૃતકો વિસ્ફોટના ધક્કાથી હવા માં ફેંકાઈને દિવાલ સાથે અથડાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, તેમજ ઘણાને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી.દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડૉક્ટરો નું કહેવું છે કે આ વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો. વિસ્ફોટ થવાથી એક જોરદાર ધમાકો થયો જેના કારણે મૃતકોના શરીરના અંદરના ભાગોને ભારે નુકસાન થયું, જેમ કે કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા.એક ડૉક્ટરે જેમણે પોતાનું નામ ન આપવાની વિનંતી કરી કહ્યું કે, મૃતદેહોને ફેફસાં, કાન અને પેટમાં જે પ્રકારનું નુકસાન થયું હતું, તે જોતાં એવું લાગે છે કે વિસ્ફોટ તેમની બહુ નજીક થયો હતો.આ વિસ્ફોટ વખતે ભારે દબાણ અને ગરમીથી પેદા થાય છે, જે આટલી ગંભીર આંતરિક ઈજાઓ પહોંચાડે છે.
Delhi Red Fort Blast: મૃતકોના આંતરિક ભાગોમાં ભારે નુકસાન
નિષ્ણાતોએ નોંધ્યું કે, શરીરના અંદરના ભાગોને થયેલી આ ઈજાઓ એ વાતનો સંકેત છે કે આ વિસ્ફોટ ઘણો મોટો હતો. તેમના મતે, મૃત્યુનું મુખ્ય કારણ આ વિસ્ફોટનો ધક્કો જ હતો, નહીં કે શ્રાપનલ (ધડાકાથી ઊડેલા ધાતુના ટુકડા)થી થયેલા ઘા. જોકે, કેટલાક મૃતદેહો એટલા ખરાબ હાલતમાં હતા કે શરીરના દરેક ભાગની વિગતવાર તપાસ કરવી મુશ્કેલ બની હતી.
હાલમાં પોલીસ ટીમ અને સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એજન્સીઓ તેને આત્મઘાતી હુમલો માનતી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં વિસ્ફોટમાં સંભવતઃ એમોનિયમ નાઈટ્રેટ, બળતણ તેલ અને ડેટોનેટરનો ઉપયોગ થયો હોવાનું સૂચવવામાં આવ્યું છે. એવી શંકા છે કે કારમાં વિસ્ફોટકો લઈ જઈ રહેલો 'ઉમર' નામનો વ્યક્તિ ધરપકડના ડરથી ભાગી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા NCR થી જમ્મુ અને કાશ્મીર સુધીના આતંકવાદી મોડ્યુલો સામે કરાયેલી કાર્યવાહીના ડરને કારણે ગભરાટમાં આ વિસ્ફોટ આકસ્મિક રીતે થયો હોઈ શકે છે. જો કે, આ વિસ્ફોટ પૂર્વ-આયોજિત આત્મઘાતી હુમલો હતો કે આકસ્મિક ઘટના, તે અંગેનો અંતિમ અહેવાલ તપાસ એજન્સીઓની સંપૂર્ણ તપાસ પછી જ બહાર પડશે.
આ પણ વાંચો: ભૂટાનથી પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની કરી મુલાકાત


