વિદેશ મંત્રીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું, તેઓ મારી US મુલાકાત વિશે ખોટું બોલ્યા
- એસ જયશંકરે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો
- રાહુલ ગાંધીએ તેમની US મુલાકાત વિશે જાણી જોઈને ખોટું બોલ્યું છે
- રાહુલ ગાંધી વિદેશમાં ભારતને નુકસાન પહોંચાડી રહ્યાં છે
S Jaishankar's counterattack on Rahul Gandhi : વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત વિશે જાણી જોઈને ખોટું બોલ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આમ કરીને તેઓ વિદેશમાં ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ માટેના આમંત્રણને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. જયશંકરે કહ્યું કે, રાહુલ ગાંધીએ જાણી જોઈને તેમની અમેરિકા મુલાકાત વિશે ખોટું બોલ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આમ કરીને તેઓ વિદેશમાં ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે.
Leader of Opposition Rahul Gandhi deliberately spoke a falsehood about my visit to the US in December 2024.
I went to meet the Secretary of State and NSA of the Biden Administration. Also to chair a gathering of our Consuls General. During my stay, the incoming NSA-designate met…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 3, 2025
આ પણ વાંચો : 6 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે નવું આવકવેરા બિલ, નાણામંત્રીએ બજેટમાં કરી હતી જાહેરાત


