Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પૂર્વ PM મનમોહન સિંહનું નિધન દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ 92 વર્ષની વયે અવસાન થયું   Former prime minister Dr Manmohan Singh passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને...
પૂર્વ pm મનમોહન સિંહનું નિધન  દિલ્હી aiimsમાં લીધા અંતિમ શ્વાસ
Advertisement
  • પૂર્વ PM મનમોહન સિંહનું નિધન
  • દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
  • 92 વર્ષની વયે અવસાન થયું

Former prime minister Dr Manmohan Singh passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત (Former prime minister Dr Manmohan Singh passes away)જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

Advertisement

વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી થઈ હતી

મળતી માહિતી મુજબ મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે, તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીથી પીડાતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો.

Advertisement

આ પણ  વાંચો -Annamalai:'ખુદને છ કોરડા મારીશ અને જ્યાં સુધી તેમને સત્તા પરથી ન હટાવું ત્યાં સુધી...

બે વખત દેશના વડાપ્રધાન રહ્યા, પંજાબ અને ઓક્સફર્ડમાંથી અભ્યાસ કર્યો.

તેઓ 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

આ પણ  વાંચો -હિન્દુ ધર્મ પર અનુશાસન મારુ છે, મોહન ભાગવતનુ નહીં - જગદગુરુ રામભદ્રાચાર્ય

વિરોધ પક્ષો પણ મનમોહન સિંહની પ્રશંસા કરતા

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.

વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર હતા

1971 માં, ડૉ. સિંહ ભારત સરકારમાં જોડાયા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા. 1972માં તેમને નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, તેઓ નાણાં મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર રહ્યા.

નાણામંત્રી તરીકે યોગદાન

1991 થી 1996 સુધી, ડૉ. સિંહ ભારતના નાણાં પ્રધાન હતા. આ સમય દરમિયાન, તેમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. આ સુધારાઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને તેને નવી દિશા આપી. ડૉ.મનમોહન સિંહ 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમણે પાંચ વખત આસામનું પ્રતિનિધિત્વ કર્યું અને 2019માં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1998 થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, ત્યારે ડૉ. સિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે 1999માં દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ડૉ.મનમોહન સિંહને ઘણા સન્માન મળ્યા હતા

ડૉ.મનમોહન સિંહને અનેક પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આમાં મહત્વપૂર્ણ છે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (1987); ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (1995); એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994); યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ (1956); સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર. ડો.સિંઘને જાપાની નિહોન કેઈઝાઈ શિમ્બુન અને અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×