દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને મળ્યા પેરોલ
- ગુરમીત રામ રહીમને ફરી મળ્યા પેરોલ
- 2017 બાદ 12 વખત પેરોલ મળ્યા
- ગુરમીત રામ રહીમને 30 દિવસના પેરોલ મળ્યા
Gurmeet Ram Rahim Parole : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 2017 બાદ 12 વખત પેરોલ મળ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા આજે એકવાર ફરી ગુરમીત રામ રહીમને 20 દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આજે સવારે લગભગ 5:30 વાગ્યે, તેમને ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢીને તેમના સિરસા કેમ્પમાં લઈ જવામાં આવ્યા, જે તેમનો મુખ્ય આશ્રમ છે. જોકે 8 વર્ષથી તેઓ અહીં ગયા નથી.
30 દિવસની પેરોલ પર રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી
જાણીને નવાઈ લાગશે કે, રામ રહીમ ગુરમીત સિંહને ફરીથી 30 દિવસની પેરોલ મળી છે. તેમને કડક સુરક્ષા સાથે સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પેરોલ પર મુક્તિ મેળવ્યા બાદ, આ પહેલીવાર છે જ્યારે ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે. 2017માં સજા ફટકાર્યા બાદ, તે 8 વર્ષથી આ ડેરા મુખ્યાલયમાં જઈ શક્યો ન હતો, પરંતુ આ વખતે તેને તેના મુખ્ય આશ્રમમાં જવાની મંજુર આપવામાં આવી છે. વધુમાં જણાવી દઇએ કે, સિરસાના ડેરા પહોંચીને, ગુરમીત રામ રહીમે તેમના અનુયાયીઓને સંદેશ આપ્યો છે કે તેઓ સિરસા ધામ ન આવે, પરંતુ પોતપોતાના સ્થળોએથી દર્શન કરે.
#WATCH | Self-styled godman and Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh arrived at Dera ashram in Haryana's Sirsa this morning after he was granted 30-day parole
Visuals from outside the ashram pic.twitter.com/C7qHVjhLA5
— ANI (@ANI) January 28, 2025
વર્ષ 2017 થી અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને 12 વખત પેરોલ
અન્ય કેસોમાં ગુરમીત રામ રહીમની સજા
25 ઓગસ્ટ 2017 ના રોજ પંચકુલામાં થયેલી હિંસા બાદ ગુરમીત રામ રહીમને સુનારિયા જેલમાં લાવવામાં આવ્યો હતો. રામ રહીમને બે સાધ્વીઓના જાતીય શોષણના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, ગુરમીત રામ રહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જોકે, રણજીત સિંહ હત્યા કેસમાં પંજાબ-હરિયાણા કોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : હરિયાણામાં ભાજપની જીત, ગુરમીત રામ રહીમ સિંહની કેટલી ભૂમિકા?


