Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ પર 3 વખત ફાયરિંગ કરનાર શૂટર દિલ્હીમાંથી ઝડપાયો, જાણો કોણ છે આ આરોપી

કેનેડાના સરે વિસ્તારમાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર થયેલા 3 ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડી ઢિલ્લોન ગેંગના મુખ્ય હેન્ડલર બંધુ માન સિંહને પકડીને ચાઇનીઝ પિસ્તોલ સહિત હથિયાર જપ્ત કર્યા છે. તપાસમાં સ્પષ્ટ થયું કે આ હુમલાઓ સ્થાનિક વિવાદ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગેંગની સાજિશનો ભાગ હતા.
કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ પર 3 વખત ફાયરિંગ કરનાર શૂટર દિલ્હીમાંથી ઝડપાયો  જાણો કોણ છે આ આરોપી
Advertisement
  • કેનેડામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ફાયરિંગનો કેસ
  • ગોલ્ડી ઢિલ્લોન ગેંગના શૂટરની દિલ્હીમાં ધરપકડ
  • ક્રાઈમ બ્રાંચની ટીમે ગેંગસ્ટર બંધુ માન સિંહને ઝડપ્યો
  • ગેંગસ્ટર પાસેથી ચાઈનીઝ પિસ્તોલ અને કારતૂસ જપ્ત
  • કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ફાયરિંગ કેસમાં સંડોવણી
  • બંધુ માન સિંહ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે
  • કપિલની રેસ્ટોરન્ટમાં 3 વખત ફાયરિંગ કરાયું હતું

Shooting case at Kapil Sharma restaurant in Canada : દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના રેસ્ટોરન્ટ 'કેપ્સ કાફે' પર થયેલા ગોળીબારના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલા આ કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે.

મુખ્ય સૂત્રધાર દિલ્હીમાં ઝડપાયો

કેનેડાના સરે વિસ્તારમાં સ્થિત કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર થયેલા ગોળીબારની ઘટનાના સંબંધમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેનેડામાં સક્રિય ગોલ્ડી ઢિલ્લોન ગેંગના મુખ્ય ઈન્ડો-કેનેડા સ્થિત હેન્ડલર બંધુ માન સિંહ સેખોનની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તેના કબજામાંથી એક અત્યાધુનિક PX-3 (ચાઇનીઝ નિર્મિત) પિસ્તોલ અને 8 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. બંધુ માન સિંહ સામે ભારતમાં પણ અનેક ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ ધરપકડથી એ સ્પષ્ટ થાય છે કે આ ઘટના પાછળ કોઈ સ્થાનિક વિવાદ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગેંગનું ષડયંત્ર હતું.

Advertisement

Advertisement

3 વખત ફાયરિંગ

કેનેડાના સરે વિસ્તારમાં આ વર્ષે જુલાઈ મહિનામાં ખુલેલું કપિલ શર્માનું રેસ્ટોરન્ટ 'કેપ્સ કાફે' અજાણ્યા હુમલાખોરોના નિશાન પર આવ્યું હતું. જેની પ્રથમ ઘટના 10 જુલાઈના રોજ બની હતી. તે પછીના હુમલા 7 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરના રોજ થયા હતા. સદભાગ્યે, આ ત્રણેય ફાયરિંગની ઘટનાઓમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ ન હતી. એક જ રેસ્ટોરન્ટ પર વારંવાર થયેલા આ હુમલાઓએ કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા.

કપિલ શર્માની પ્રતિક્રિયા

મુંબઈમાં બુધવારે મીડિયા સાથે વાતચીત કરતાં કોમેડિયન કપિલ શર્માએ આ ઘટનાઓ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કપિલ શર્માએ જણાવ્યું કે વારંવાર થયેલા આ ફાયરિંગના કેસ એટલા ગંભીર હતા કે તેને કારણે કેનેડિયન અધિકારીઓને દેશમાં આવા હુમલાઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી. તેમણે ઉમેર્યું કે, "જ્યારે અમારો કેસ બન્યો, ત્યારે તે ફેડરલ સરકાર પાસે ગયો અને કેનેડિયન સંસદમાં તેની ચર્ચા થઈ."

આશ્ચર્યજનક ઘટના

કપિલ શર્માએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે દરેક ગોળીબારની ઘટના પછી તેમના કાફેમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થયો. તેમણે કહ્યું, "ખરેખર, દરેક ગોળીબારની ઘટના પછી, વધુ લોકો અમારા કેફેમાં આવ્યા. તેથી જો ભગવાન મારી સાથે હોય, તો બધું બરાબર છે." કપિલે માન્યું કે આ હુમલાઓને કારણે જ કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના વિશે અન્ય લોકોએ પણ તેમનો સંપર્ક કરીને વાત કરી હતી. અંતમાં, તેમણે ભારતીય શહેરો, ખાસ કરીને મુંબઈમાં સુરક્ષા અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, "મને મુંબઈમાં કે આપણા દેશમાં બીજે ક્યાંય પણ અસુરક્ષિત લાગ્યું નહીં. મુંબઈ જેવું બીજું કોઈ શહેર નથી."

આ પણ વાંચો :   ભયાનક ઘટના! કપિલ શર્માના કેનેડિયન કેફે પર ત્રીજી વાર ગોળીબાર, આ ગેંગે લીધી જવાબદારી

Tags :
Advertisement

.

×