પત્રકાર Mukesh Chandrakar હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપીની ધરપકડ
- Mukesh Chandrakar હત્યા કેસમાં SIT દ્વારા મહત્વપૂર્ણ ધરપકડ
- આરોપી સુરેશ ચંદ્રાકર ની રાયપુર એરપોર્ટ પરથી ધરપકડ
- બસ્તર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કારવાઈ કરવામાં આવી
પત્રકાર મુકેશ ચંદ્રાકર (Mukesh Chandrakar)ની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ ચંદ્રાકર (Mukesh Chandrakar) હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને SIT દ્વારા હૈદરાબાદથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. ઘટના બાદથી આરોપી ફરાર હતો. બસ્તર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડની માહિતી આપી હતી. પત્રકાર મુકેશ ચંદ્રાકર (Mukesh Chandrakar)ની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને બીજાપુર લઈ ગઈ છે. અહીં પોલીસ સુરેશ ચંદ્રાકરની પૂછપરછ કરશે.
ત્રણ આરોપીઓની ધરપકડ...
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી સુરેશ ચંદ્રાકર પત્રકાર મુકેશ ચંદ્રાકર (Mukesh Chandrakar)ની હત્યા બાદ ફરાર હતો. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ માટે રચાયેલી SIT એ રવિવારે મોડી રાત્રે હૈદરાબાદથી સુરેશની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં સુરેશ ચંદ્રાકરના ભાઈઓ રિતેશ ચંદ્રાકર અને દિનેશ ચંદ્રાકર અને સુપરવાઈઝર મહેન્દ્ર રામટેકની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પત્રકાર મુકેશ ચંદ્રાકર (33) 1 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા અને 3 જાન્યુઆરીએ બીજાપુર શહેરના ચટ્ટનપારા કોલોનીમાં કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની મિલકતની સેપ્ટિક ટાંકીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
#WATCH | Prime accused of journalist Mukesh Chandrakar's murder case, Suresh Chandrakar, who was absconding after the crime, has been detained. The accused was detained from Hyderabad late last night by the SIT and he is being questioned
In Bijapur, SIT in-charge, Mayank Gurjar… pic.twitter.com/f4hCz9Wb7D
— ANI (@ANI) January 6, 2025
આ પણ વાંચો : Jammu Kashmir : એક ભૂલ બની મોતનું કારણ, Srinagar માં એક જ પરિવારના 5 લોકોના મોત
હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો...
બસ્તર આઈજીના જણાવ્યા અનુસાર મુકેશ અને રિતેશ વચ્ચે 1 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે ફોન પર વાતચીત થઈ હતી. આ પછી, બંને ખડકો પરા ખાતે સ્થિત એન્ક્લોઝરમાં મળ્યા. અહીં રોડ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન મહેન્દ્ર રામટેકે મુકેશ પર પાછળથી લાકડી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ સતત હુમલો કર્યો હતો. 20 મિનિટમાં મુકેશનું મોત થયું હતું. ઘટના બાદ રિતેશ ચંદ્રાકર રાયપુર થઈને દિલ્હી ભાગી ગયો હતો. રાયપુર પરત ફર્યા બાદ રિતેશની રાયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આજે કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Odisha માં કાર-ટ્રકની ટક્કર, BJP ના બે નેતાઓના મોત...


