Subhanshu Shuklaનું PM મોદીએ કર્યું સ્વાગત, કહ્યું-કરોડો સપનાઓને પ્રેરણા આપી
- અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર પરત ફર્યા
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી
- PM મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી
PM Modi on Shubhanshu Shukla Return from ISS: અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેમની ટીમ સાથે ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશનથી 18 દિવસ બાદ ધરતી પર પરત ફર્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI)શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશનથી પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમનું સ્વાગત કર્યું છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.
નરેન્દ્ર મોદીએ કર્યું શુભાંશુ શુક્લાનું સ્વાગત
I join the nation in welcoming Group Captain Shubhanshu Shukla as he returns to Earth from his historic mission to Space. As India’s first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage and pioneering…
— Narendra Modi (@narendramodi) July 15, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI)લખ્યું હતું કે, હું આખા દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરૂં છું, જેઓ તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે શુભાંશુએ તેમના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન-ગગનયાન તરફ વધુ એક સીમાચિહ્નરૂપ છે.
આ પણ વાંચો - Shubhanshu Shukla: વેલકમ બેક શુભાંશુ, અંતરિક્ષથી પુત્ર પરત ફરતા માતા-પિતા થયા ભાવ વિભોર
ભારતીય માટે ગર્વની ક્ષણ: રાજનાથ સિંહ
Group Captain Shubhanshu Shukla’s successful return from the historic Axiom-4 mission is a proud moment for every Indian. He has not just touched space, he has lifted India’s aspirations to new heights.
His journey to the International Space Station and back is not just a…
— Rajnath Singh (@rajnathsingh) July 15, 2025
રક્ષમંત્રી રાજનાથ સિંહે પણ પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'ઐતિહાસિક એક્સિઓમ-4 મિશનમાંથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ વાપસી દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. તેમણે માત્ર અવકાશને સ્પર્શ કર્યો નથી પરંતુ ભારતના સપનાઓને નવી ઊંચાઈઓ પર પણ લઈ ગયા છે.' આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધીની અને ત્યાંથી તેમની યાત્રા ફક્ત એક વ્યક્તિગત સિદ્ધિ નથી પણ ભારતની વધતી જતી અવકાશ મહત્વાકાંક્ષાઓ તરફ એક મોટું પગલું છે. હું તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમની સફળતા માટે પ્રાર્થના કરું છું.


