Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ,લોકો ઘરની બહાર નીકળ્યા

લદ્દાખમાં આવ્યો જોરદાર ભૂકંપ ભૂકંપની તીવ્રતા  4.2 માપવામાં આવી ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી Earthquake :મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake)બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. તે જ સમયે,મંગળવારે લદ્દાખના...
દેશના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ લોકો ઘરની બહાર નીકળ્યા
Advertisement
  • લદ્દાખમાં આવ્યો જોરદાર ભૂકંપ
  • ભૂકંપની તીવ્રતા  4.2 માપવામાં આવી
  • ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી

Earthquake :મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake)બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. તે જ સમયે,મંગળવારે લદ્દાખના લેહમાં (Ladakh Earthquake)ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2:38 વાગ્યે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપથી વધારે નુકસાન થયું નથી, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ, વિશ્વભરના લોકો ભૂકંપના ભયથી ભરાઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં શી યોમી હતું, જે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત અને ચીનની સરહદની ખૂબ નજીક હતું અને તેની તીવ્રતા પણ ખૂબ ઓછી હતી. આ કારણે, ખૂબ ઓછું નુકસાન થયું છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -UP CM Yogi : રાજકારણ મારા માટે ફુલટાઈમ જોબ નથી,PM બનવા મુદ્દે યોગીનો સટીક જવાબ

ભૂકંપ શા માટે આવે છે?

તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જોકે, ક્યારેક અથડામણ કે ઘર્ષણ થાય છે. આ કારણોસર, પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થાય છે, અને હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે.

આ પણ  વાંચો -PM Modi સાથે ચાલતા-ચાલતા અચાનક કેમ રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ? જુઓ video

ભારતમાં ભૂકંપ ક્ષેત્રો કયા કયા છે?

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા ભાગ ભૂકંપ-સંભવિત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ક્ષેત્રને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ 4 ભાગોમાં વિભાજિત કર્યું છે. ઝોન-૫ ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-૨ ને ઓછો સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-૪ માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે ભારે વિનાશનું કારણ બની શકે છે.

Tags :
Advertisement

.

×