Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય, તેને બચાવો…સુરંગમાં ફસાયેલા મજૂરના પરિવારના સભ્યોની વેદના

તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલ તૂટી પડવાને કારણે 8 મજૂરોના જીવ જોખમમાં મુકાયા છે.
પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય  તેને બચાવો…સુરંગમાં ફસાયેલા મજૂરના પરિવારના સભ્યોની વેદના
Advertisement
  • તેલંગાણામાં ટનલ દુર્ઘટનામાં 8 કામદારોના જીવ જોખમમાં
  • સુરંગમાં ફસાયેલા ગુરપ્રીત સિંહના પરિવારના સભ્યોની વેદના
  • સુરંગમાં ફસાયેલ ગુરપ્રીત સિંહ પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય

Tunnel accident in Telangana : તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલ તૂટી પડવાને કારણે 8 મજૂરોના જીવ જોખમમાં મુકાયા છે. તેમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, સુરંગમાં ફસાયેલા ગુરપ્રીત સિંહના પરિવારના સભ્યોએ તેમની વેદના વર્ણવી છે.

8 કામદારોના જીવ જોખમમાં

તેલંગાણાના નાગરકુર્નૂલમાં બનેલી ટનલ દુર્ઘટના ઘણા દિવસોથી સમાચારમાં છે. આ અકસ્માત બાદ 8 કામદારોના જીવ જોખમમાં છે. ટનલમાં કામ કરી રહેલા 8 મજૂરો છેલ્લા ઘણા દિવસોથી ફસાયેલા છે. બચાવ કામગીરી દ્વારા તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, એક મજૂરના પરિવારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમનું કહેવું છે કે, સુરંગમાં ફસાયેલ ગુરપ્રીત સિંહ પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે.

Advertisement

પરિવારમાં એકમાત્ર કમાનાર

ગુરપ્રીત સિંહના કાકા કલવાન સિંહે કહ્યું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ગુરપ્રીત સિંહ સહિત તમામ કામદારોને બહાર કાઢે. ગુરપ્રીત તેના પરિવારનો બધો ખર્ચ ઉઠાવે છે. અમે ગઈકાલે અહીં આવ્યા હતા, કંપની અમને અંદર લઈ ગઈ હતી. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે રેસ્ક્યુ ઓપરેશનની મદદથી દરેકને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી હાહાકાર! રસ્તાઓ બંધ, ઘણા વાહનો પાણીમાં ગરકાવ

કંપનીમાં 20 વર્ષથી કામ કરી રહ્યા છીએ

ગુરપ્રીત સિંહના નજીકના કુલદીપ સિંહના જણાવ્યા અનુસાર સુરંગમાં 8 મજૂરો ફસાયેલા છે, જેમાં એક પંજાબી પણ છે. તે મારો ભત્રીજો છે અને તેનું નામ ગુરપ્રીત સિંહ છે. તે છેલ્લા 20 વર્ષથી આ કંપનીમાં કામ કરે છે. તેના પરિવારમાં માતા, પત્ની અને 2 દીકરીઓ છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર તમામ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢશે.

બચાવ કામગીરી 2 દિવસમાં પૂર્ણ થશે

તેલંગાણા સરકારમાં સિંચાઈ મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીનું કહેવું છે કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલ અચાનક તૂટી પડી હતી. ટનલના એક ભાગમાં કાદવ અને પાણી જમા થયા છે. સુરંગમાં 70 કામદારો કામ કરી રહ્યા હતા. 8 કામદારો સિવાય બધાને બહાર કાઢવામાં આવ્યા છે. 8 કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. અમે કામદારોને બહાર કાઢવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. આ બચાવ કામગીરી આગામી 2 દિવસમાં સફળ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો :  ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, 47 શ્રમિકો દટાયાં હોવાની આશંકા

Tags :
Advertisement

.

×