ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Train Accident: બાલાસોરમાં પાટા પરથી ઉતરી ટ્રેન, વીજળીના થાંભલા સાથે અથડાઇ ટ્રેન

બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ન્યૂ જલપાઇગુડી ટ્રેન પાટા પરથી ઉતરવાની વાત કહેવાઇ રહી છે. બાલસોર જિલ્લામાં સબિરા પોલીસ સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાનું જણાવાઇ રહ્યું છે.
08:44 PM Feb 22, 2025 IST | KRUTARTH JOSHI
બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ન્યૂ જલપાઇગુડી ટ્રેન પાટા પરથી ઉતરવાની વાત કહેવાઇ રહી છે. બાલસોર જિલ્લામાં સબિરા પોલીસ સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાનું જણાવાઇ રહ્યું છે.
Train accident at balasore

નવી દિલ્હી : બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ન્યૂ જલપાઇગુડી ટ્રેન પાટા પરથી ઉતરવાની વાત કહેવાઇ રહી છે. બાલસોર જિલ્લામાં સબિરા પોલીસ સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાનું જણાવાઇ રહ્યું છે. પાટા પરથી ઉતર્યા બાદ આ ટ્રેન વિજળીના થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં કોઇના ઘાયલ હોવાના સમાચાર નથી. એક રેલવે અધિકારીએ આ મામલે માહિતી આપી છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ ચાલુ કરી

દક્ષિણ પૂર્વી રેલવેના અધિકારીએ કહ્યું કે, આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે આગળ કહ્યું કે, હાલ કોઇ કારણથી આ ટ્રેન પાટા પરથી ઉતરી છે. તેની પણ માહિતી હજી સુધી સામે આવી શકી નથી. આ મામલે કોઇ પણ જાનમાલના નુકસાનની માહિતી નથી. તપાસ બાદ ખુબ જ સ્પષ્ટ થઇ જશે કે આખરે ટ્રેન દુર્ઘટના પાછળ કારણ શું હતું?

આ પણ વાંચો : લો બોલો ! કેન્દ્રીય મંત્રીને તુટેલી સીટમાં બેસાડ્યા, એર ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહીના આદેશ

યાત્રીઓ એકત્ર થયા

ન્યૂ જલપાઇગુડી ટ્રેનના પાટા પરથી ઉતર્યા બાદ તેમાં બેસેલા યાત્રી ટ્રેનથી બહાર આવી ગયા અને લોકોની ભીડ દેખાઇ હતી. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળ પર કેટલાક રેલવે અધિકારી અને પોલીસ કર્મી પર પહોંચી ગયા હતા. ટ્રેન દુર્ઘટના બાદ ચારેબાજુ અફડાતફડી રહી. ઝડપથી આ ટ્રેનની તપાસ કરીને અને પરત પાટા પર લાવીને ફરીથી ચલાવી શકાય.

જ્યારે જલગામમાં થઇ હતી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્રમાં જલગામમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઇ હતી, જેમાં 12 થી વધારે યાત્રીઓના જીવ જતા રહ્યા હતા. આ દુર્ઘટના યાત્રીઓ વચ્ચે અચાનક અફવા ફેલવાના કારણે થઇ હતી. અફવા ઉડી હતી કે ટ્રેનમાં આગ લાગી ગઇ છે, ત્યાર બાદ યાત્રી ટ્રેનથી એક એક કરીને કુદવા લાગ્યા. તે સમયે બીજી તરફથી આવી રહેલી ટ્રેનની અડફેટે ચડીને 12 કરતા વધારે યાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી

Tags :
Balasore Train AccidentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsNew jalpaiguriNew jalpaiguri derailedtrain accidentTrain accident at balasoreTrain Accident News
Next Article