‘America એ જે કંઈ સહન કર્યું તે અમે પણ કર્યું છે...’, 9/11 મેમોરિયલની બહાર આતંકવાદ પર શશિ થરૂરનું નિવેદન
- ભારત પણ અમેરિકાની જેમ આતંકવાદનો ભોગ બન્યું
- 9/11ના હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ
- ભારત દુષ્ટ શક્તિઓ સામે મક્કમતાથી ઊભું છે
India Against Terrorism: આતંકવાદ સામેની ભારતની નીતિને વિશ્વ સાથે શેર કરવાના ઉદ્દેશ્ય સાથે US પહોંચેલા ભારતીય ડેલીગેશને 9/11ના હુમલામાં જીવ ગુમાવનારાઓને સ્મારકની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ડેલીગેશનની આગેવાની કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે જે રીતે અમેરિકા આતંકવાદનો શિકાર બન્યું છે, તે જ રીતે ભારત પણ વારંવાર તેનો શિકાર બન્યું છે.
શશિ થરૂરે કહ્યું...
ન્યૂયોર્કમાં 9/11 મેમોરિયલની બહાર મીડિયા સાથે વાત કરતા શશિ થરૂરે કહ્યું, "9/11 મેમોરિયલની આ મુલાકાત એ એક ગંભીર યાદ અપાવે છે કે જેવી રીતે અમેરિકા આતંકવાદનો ભોગ બન્યું છે, તેવી જ રીતે ભારતે પણ વારંવાર આ ઘા સહન કર્યા છે. અમે પણ તે જ ઘા સહન કર્યા છે જે આજે આ કરુણ સ્મારક પર દેખાય છે. અમે આ ભાવના અને મક્કમતા સાથે અહીં આવ્યા છીએ અને કહીએ છીએ કે આ એક મિશન છે."
#WATCH | New york, US: After paying tribute at 9/11 memorial, Congress MP Shashi Tharoor says, " It was obviously a very moving moment for us, but it was also meant to send a very strong message that we are here in a city which is bearing still the scars of that savage terrorist… pic.twitter.com/pRBiT4miKC
— ANI (@ANI) May 24, 2025
ભારત દુષ્ટ શક્તિઓ સામે મક્કમતાથી ઊભું છે
શશિ થરૂરે કહ્યું- 'ભારત દુષ્ટ શક્તિઓ સામે મક્કમતાથી ઊભું છે' એક ભારતીય ડેલીગેશન હાલમાં અમેરિકામાં છે અને તે પછી તે ગયાના, પનામા, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. શશિ થરૂરે કહ્યું, "જેમ અમેરિકાએ 9/11 પછી હિંમત અને સંકલ્પ દર્શાવ્યો હતો, તેવી જ રીતે ભારત પણ 22 એપ્રિલે પહેલગામ હુમલા પછી દુષ્ટ શક્તિઓ સામે ઉભું થયું છે. અમે આશા રાખીએ છીએ કે આ હુમલાના ગુનેગારો અને જેમણે તેમને તાલીમ આપી, ભંડોળ પૂરું પાડ્યું અને તેમને સશસ્ત્ર બનાવ્યા તેઓ આમાંથી કંઈક પાઠ શીખ્યા હશે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જો આવું થશે તો અમે ચુપ નહીં બેસીએ."
VIDEO | Head of the all-party delegation to five countries including the US Shashi Tharoor (@ShashiTharoor) paid tribute to the victims of 9/11 terror attack in New York just after his arrival in the city for diplomatic outreach against Pakistan sponsored terrorism.
He says,… pic.twitter.com/0mK9l37H3o
— Press Trust of India (@PTI_News) May 25, 2025
આ પણ વાંચો : PM મોદીની અધ્યક્ષતામાં આજની NDAની બેઠક કેમ મહત્વપૂર્ણ? 20 મુખ્યમંત્રી અને 18 ડેપ્યુટી CM સામેલ થશે
BJP નેતા શશાંક મણિએ કહ્યું...
કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા ભાજપના નેતા શશાંક મણિએ જણાવ્યું કે, "આજે અમારો 10 દિવસનો કાર્યક્રમ ન્યૂયોર્કથી શરૂ થયો. આજે અમે તે જગ્યાએ ગયા જ્યાં 9/11માં આતંકવાદે ન્યૂયોર્કને બરબાદ કરી દીધું હતું. અમે કહેવા માંગીએ છીએ કે આતંકવાદ કોઈ એક દેશની સમસ્યા નથી પરંતુ તે એક વૈશ્વિક સમસ્યા છે. ઓપરેશન સિંદૂરથી સાબિત થયું કે અમે જે કાર્ય કર્યું છે તેનાથી આતંકવાદ પર અસર પડી છે અને આવનારા સમયમાં, જો આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય, તો આપણે આતંકવાદને ખતમ કરવો પડશે અને આમાં દરેક દેશે અમારી સાથે જોડાવું પડશે."
આ પણ વાંચો : IMD Alert: દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડું, 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત; એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જારી કરી


