પોલીસ સમક્ષ સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
શું હતો સમગ્ર મામલો?
ગત વર્ષે સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને અન્ય બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા કે જે પોતાની ઓફિસથી તેમના પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે તેમને કારમાંથી ઉતારી ધોકા વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત મયુરસિંહ રાણાના રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અહીંથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાયા બાદ આઠ થી દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.