Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ,સગા સબંધીઓ ઘરે પહોચ્યા

રાજકોટમાં સ્વ.વિજયભાઈના અંતિમ દર્શન માટે તૈયારી પ્રાર્થના સભા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી સ્વ.વિજયભાઈના નિવાસસ્થાને તૈયારીઓ શરૂ કરાઈ પારસ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં તૈયારીઓ શરૂ Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ આજે રાજકોટમાં તેમના અંતિમ વિધિની સંપૂર્ણ તૈયારીઓ...
rajkot   પૂર્વ cm વિજય રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ સગા સબંધીઓ ઘરે પહોચ્યા
Advertisement
  • રાજકોટમાં સ્વ.વિજયભાઈના અંતિમ દર્શન માટે તૈયારી
  • પ્રાર્થના સભા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી
  • સ્વ.વિજયભાઈના નિવાસસ્થાને તૈયારીઓ શરૂ કરાઈ
  • પારસ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં તૈયારીઓ શરૂ

Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ આજે રાજકોટમાં તેમના અંતિમ વિધિની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને તેમના દર્શન માટે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉમટી પડવાની શક્યતા છે. તેમનો અંતિમ સંસ્કાર આ જગ્યાએ કરવામાં આવશે.

પાર્થિવદેહના DNA રિપોર્ટ માટે પ્રક્રિયા હાથ ધરાઈ

વિજય રૂપાણીના મૃત્યુ બાદ તેમના પાર્થિવદેહના DNA રિપોર્ટ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે રિપોર્ટ મળ્યા બાદ પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે.રાજકોટની પ્રકાશ સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસસ્થાનના દરવાજા આજે વહેલી સવારે ખોલવામાં આવ્યા. અહીં તેમના અંતિમ દર્શન માટે ભાજપના નેતાઓ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા સહિત અનેક અગ્રણીઓ પહોંચ્યા હતા. તેમના પાત્રને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જનતામાં પણ ભાવુકતા જોવા મળી રહી છે. જેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોચ્યા સ્વ અરવિંદભાઈ મણિયારના પત્ની અને અંગત સબંધીઓ ઘરે પહોચ્યા ત્યારે હંસિકાબેન મીડિયા સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું કે મારો દીકરો ગયો છે બોલી ગળગળા થઈ ગયા.

Advertisement

આ પણ  વાંચો -વિમાન દુર્ઘટના મામલે મંત્રાલયનું મોટું નિવેદન, 'AI - 171 માં કોઇ સમસ્યા ન્હોતી'

Advertisement

પાર્થિવદેહ લાવવાનો રૂટ જાહેર

વિજય રૂપાણીનો પાર્થિવદેહ આજે અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે. રાજકોટ શહેરમાં અંદર લાવવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે:
ગ્રીનલેન્ડ ચોકડી , કુવાડવા રોડ , હોસ્પિટલ ચોક , ચૌધરી હાઈસ્કૂલ , રૈયા રોડ , હનુમાન મઢી , પ્રકાશ સોસાયટી આ માર્ગે પાર્થિવદેહને લાવવામાં આવીને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે જાહેરમાં મુકવામાં આવશે

આ પણ  વાંચો -Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

અંતિમ યાત્રાનો રૂટ અને વ્યવસ્થા

અંતિમ સંસ્કાર માટેની યાત્રા પ્રકાશ સોસાયટીથી શરૂ થઈને રામનાથ પરા સ્મશાન સુધી જશે. આ અંતિમ યાત્રાનો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે:

અંતિમ યાત્રાનો રૂટ:

પ્રકાશ સોસાયટી નિર્મલા રોડ , કોટેચા ચોક , એસ્ટ્રોન ચોક , યાજ્ઞિક રોડ , ડી.એચ. કોલેજ, માલવીયા ચોક , કોર્પોરેશન ચોક , ધર્મેન્દ્ર રોડ , સાંગણવા ચોક , ભુપેન્દ્ર રોડ ,રામનાથ પરા સ્મશાન

શહેરી અને પોલીસ તંત્ર સજ્જ

આ અંતિમ વિધિ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને લઈને શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર પણ સજ્જ બન્યું છે. પાર્થિવદેહના માર્ગ પર તમામ ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ચોક પર પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે.

Tags :
Advertisement

.

×