પીએમ મોદીએ કહ્યું કે એક સારા સમાચાર મળ્યા છે, આપણી ટીમની સખત મહેનત અને બધાના સહયોગથી નવી દિલ્હી જી-20 નેતૃત્વ ઘોષણા પર સહમતિ બની ગઇ છે. હું ઘોષણા કરવા માંગુ છું કે નવી દિલ્હી જી-20 લીડર્સના શિખર સંમેલનની જાહેરાત પર સર્વસંમતિ સધાઈ છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ ચાલી રહી છે. દરમિયાન, બપોરે પીએમ મોદીએ પોતે માહિતી આપી હતી કે નવી દિલ્હી જી-20 લિડર્સ ઘોષણા પત્ર પર તમામ દેશો સહમત થયા છે. પીએમ મોદીએ કહ્યું, “આપણી ટીમની સખત મહેનત અને તમારા બધાના સહયોગથી, નવી દિલ્હી G20 નેતાઓની ઘોષણા પર સર્વસંમતિ સધાઈ છે.” જ્યારે 09 સપ્ટેમ્બરના રોજ G20 શિખર સંમેલન શરૂ થયું ત્યારે ‘વન અર્થ’ પર સવારે 10:30 થી બપોરે 1:30 સુધી પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી ‘એક પરિવાર’ પર બીજું સત્ર બપોરે 3 વાગ્યે શરૂ થયું, જે 4.45 વાગ્યા સુધી ચાલ્યુ. . સાંજે 7 વાગ્યે તમામ રાજ્યના વડાઓ ડિનર માટે મળશે. તેમની વચ્ચે રાત્રે 8 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી વાતચીત થશે.
નવી દિલ્હી ઘોષણા પત્રમાં કઇ કઇ બાબતોનો ઉલ્લેખ છે તેના પર G20ના ભારતીય શેરપા અમિતાભ કાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કર્યુ. તેમણે કહ્યું કે નવી દિલ્હી ઘોષણા પત્ર કઇ બાબતો પર આધારિત છે.
– મજબૂત દિર્ધકાલિન, સંતુલિત , અને સમાવેશી વિકાસ
– સતત વિકાસ, લક્ષ્યાંકો તરફ આગળ વધવામાં ઝડપ
– દિર્ધકાલિન ભવિષ્ય માટે હરિત વિકાસ સમજુતિ
-21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાઓ
– બહુપક્ષવાદને પુનર્જિવિત કરવો