ડભોઈના ૭૫ વર્ષીય ભાલચંદ્ર કંસારા પોતાનાં ધર્મપત્ની સાથે કેનેડા ખાતે રહેતી પોતાની દીકરીને મળવા માટે વિમાન માર્ગે જઈ રહયાં હતાં. તે મુસાફરી દરમ્યાન ભાલચંદ્ર કંસારાને અચાનક હાર રોગનો હુમલો થયો આવ્યો હતો અને ગંભીર પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. આ દરમ્યાન એતિહાદ એરલાઇન્સે તેઓને જર્મનીમાં ઉતારી દીધા. વૃદ્ધ ધર્મપત્નીને જર્મન ભાષા ન આવડતી હોવાથી તેઓ ત્યાં હકીકત સમજાવી ન શક્યા. આ સમગ્ર ટ્રીટમેન્ટ દરમિયાન ખાનગી હૉસ્પિટલમાં સારવાર ખચૅ રૂ.૩૮ લાખ ઉપરાંત ખર્ચવા છતાં જીવ ન બચાવી શકાયો. જર્મનીથી મૃતકના પાર્થિવ દેહને ડભોઇ લાવવા પરિવારજનો એમ્બેસીના સંપર્કમાં રહયાં. પરંતુ ભાષાને કારણે મોટી તકલીફ ઉભી થઇ હતી.
સમગ્ર ઘટના અંગે મીડિયા સમક્ષ જમાઈએ વિગતો આપી
બનાવ અંગે મૃતકના જમાઈ રમાકાંતભાઈ કંસારા જે ડભોઇ માં રહે છે તેઓએ જણાવ્યું છે કે ગત 6 તારીખે સવારે ડભોઇમાં વાસણોની દુકાન ધરાવતા ભાલચંદ્ર ભાઈ કંસારા અમદાવાદથી કેનેડા જવા ઇતીહાદ એરલાઇન દ્વારા પત્ની રક્ષાબેન સાથે રવાના થયા હતા. એમની યાત્રા વાયા અબુધાબી થઈ ટોરોન્ટો સુધીની હતી. માર્ગમાં અબુધાબીથી પ્લેન બદલી ટોરોન્ટો જવા નીકળ્યા હતા અને પ્લેનમાં જમ્યા પણ હતા. અચાનક ઢળી પડતાં ક્રુ મેમ્બર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ હાર્ટ એટેક આવ્યો હોવાનું લાગતા જર્મની સરકારની પરવાનગી લઈ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ ફ્રેન્કફર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. એર લાઇન દ્વારા ફ્રીમાં સારવાર છે એમ જણાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા. જ્યાં પત્ની રક્ષાબેને એમની દેખરેખ રાખતી હતી. પરંતુ બે દિવસ બાદ એમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાથે રહેલા રક્ષાબેનને સ્થાનિક બિએપીએસ સંસ્થાના સભ્યોનો સહારો મળ્યો હતો. પરંતુ હોસ્પિટલે 38 લાખનુ બિલ ચૂકવો તો જ મૃતદેહ આપવાની વાત કરતાં પત્ની રક્ષાબેન ભાંગી પડ્યા હતા અને હાલત કફોડી થઈ હતી. ફ્રી સારવારનું કહી છૂટી ગયેલા એર લાઇન સત્તાવાળાનો સંપર્ક કરતા એમણે હાથ અધ્ધર કરી દીધા હતા અને હોસ્પિટલ સત્તાવાળા માનવા તૈયાર નહીં હોવાથી મૃતદેહને જર્મનીના ફ્રેન્કફર્ટની ખાનગી હોસ્પિટલમાં રેહવા દઈ પત્ની રક્ષાબેન એકલા ભારત પરત ફરવા માટે નીકળી ગયા હતા.
આ સમગ્ર ઘટના બનતા પત્ની એ એર લાઇન્સ ના સ્ટાફ ને જણાવતા ઇતિહાદ એર લાઇનનું ઇમરજન્સી લેન્ડિંગ જર્મનીમાં કરવામાં આવ્યું હતું.જર્મનીની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એમનું મોત થયું હતું. પરંતું હોસ્પિટલ દ્વારા 38 લાખનું બિલ ચૂકવ્યા બાદ જ મૃતદેહ આપવાનું જણાવતાં સાથે રહેલા પત્ની રક્ષાબેનની હાલત કફોડી બની છે અને ત્રણ દિવસ સુધી મૃતદેહની સોંપણી કરવામાં નહિ આવતા ભારે હૈયે પત્ની એકલા ડભોઇ આવવા રવાના થયા છે
બીએપીએસ સંસ્થાએ એક ભારતીય ને હોસ્પિટલમાં મદદ કરી
મૃતક ભાલચંદ્રભાઈના જમાઈ રમાકાંત ભાઈએ જણાવ્યું હતું કે પપ્પાને પ્લેનમાં એટેક આવ્યા બાદ જર્મનીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી માતા સાથે ઉતારી દેવાયા હતા. જેની જાણકારી કેનેડા માં રહેતી બીજી ને કરતા તેઓએ બીએપીએસ સંસ્થાનો સંપર્ક કરતા તાત્કાલિક બે સભ્યો પહોંચ્યા હતા અને એકલી પડેલી મમ્મીને સાથ આપ્યો હતો. પપ્પાનું મોત થયા બાદ પણ સભ્યોએ મદદ કરી હતી. પરંતુ ફ્રીમાં સારવાર બાદ રૂપિયાની માંગણી હોસ્પિટલે કરી હોવાથી હાલત કફોડી બની છે. આ અંગે એરલાઇનથી માંડી જર્મન સરકારમાં પણ રજૂઆત કરી હતી. છતાં અક્કડ વલણ રાખતા અંતે મમ્મી એકલા ભારત આવવા રવાના થયા છે.
પરંતુ એરલાઇન્સના વહીવટી તંત્રએ દર્દીના સાથે તેમના ધર્મ પત્નીને ફાઇનાન્સિયલ બાબતે પૂછ્યા વગર જ ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે ખાનગી હોસ્પિટલ ના કર્મચારીઓ જો આ રીતે અચાનક મોટું બીલ ઘરતા જ પરિવારના સભ્યો ઉપર આભ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.હોસ્પિટલ ના સ્ટાફ નું આ વલન માનવતા નેવે મૂકી દીધી એવું સાબિત થઈ પડે છે.
અહેવાલ -પિન્ટુ પટેલ ડભોઇ ,વડોદરા
આ પણ વાંચો- PM મોદી 12મે ના એક દિવસીય ગુજરાતના પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ