અહેવાલ – વિશ્વાસ ભોજાણી
ગોંડલના ખંભાલીડા ગામની સીમમાં અજાણ્યા પુરુષની સળગેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસ રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ખંભાલીડાની સીમમાં સળગેલી હાલતમાં કોઈ પુરુષની લાશ પડી હોવાની જાણ મોડી સાંજે ગામના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ તાલુકા પોલીસને કરી હતી. વિક્રમસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સીમમાં ઢોર ચરાવતાં ગોવાળ દ્વારા મને સાંજે સાત સાડાસાતે જાણ કરાઇ હતી. સીમ વિસ્તારમાં લાશ સળગતી હોવાનું ઢોર ચરાવનારે સવારે જોયુ હતું. પરંતુ ડર ના માર્યો કોઈ ને જાણ કરી નહોતી. બાદમાં છેક સાંજે મને જાણ કરી હોય તુરંત પોલીસમાં ખબર કરી હતી. અજાણ્યા પુરુષ ની લાશ સંપુણઁ સળગેલી હાલતમાં હોય કોઈ એ હત્યા કરી ઓળખ પુરાવા નાશ કરવા સળગાવી દીધા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – સિંધુ ભવન રોડ પર એસ કે ફાર્મ ખાતે VHP ના કાર્યકર્તાઓની અટકાયત
આ પણ વાંચો – GONDAL : યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ, સોયાબીનમાં થઇ 30 હજાર કટ્ટાની આવક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે