અહેવાલ–દિનેશ મકવાણા, ભરૂચ
નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની ગયો છે. 15 દિવસ અગાઉ મોતની છલાંગ લગાવનારા બે નો બચાવ થયો હતો જ્યારે આજે સંધ્યાકાળના સમયે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અજાણી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીની શોધખોળ શરુ કરાઇ છે.
અજાણી યુવતીની મોતની છલાંગ
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનું યથાવત રહ્યું હોય તેમ નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય થયું ત્યારથી જ આ બ્રિજ લોકો માટે સ્યુસાઇડ પોઇન્ટ બની ગયો છે. સંખ્યાબંધ લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી છે સપ્ટેમ્બર મહિનામાં જ એક યુવક અને યુવતીએ અલગ અલગ દિવસે મોતની છલાંગ લગાવી હતી પરંતુ ઓછા પાણીના કારણે બંનેનો બચાવ થયો હતો. આજે સંધ્યાકાળના સમયે એક અજાણી યુવતીએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદાના વહેણમાં મોતની છલાંગ લગાવી હતી અને પાણીના વહેણમાં યુવતી ડૂબતી હોવાના દ્રશ્યો જોવા નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોએ ભારે ભીડ જમાવી હતી. નર્મદાના વહેણમાં રહેલી યુવતીને બચાવવા માટે ભરૂચના સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી ત્રણથી ચાર જેટલી માછીમારોની બોટ લઇ પાણીના વહેણમાં તેને શોધવા ગયા હતા અને તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ પાણીમાં યુવતી ગુમ થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
નર્મદા મૈયા બ્રિજના બંને તરફ લોખંડની નેટ લગાવવામાં આવે તે જરૂરી
નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અજાણી યુવતીએ મોતની છલાંગ કેમ લગાવી અને આ અજાણી યુવતી કોણ છે તે અંગે તર્કવિતર્કો ઉભા થયા છે નર્મદાના વહેણમાં ગુમ યુવતી મળ્યા બાદ જ તેના મોતનું કારણ અને તેના પરિવારના સગડો મળી શકે તેમ છે પરંતુ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની ગયો હોય જેને લઇ આપઘાતના બનાવ ઉપર અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રિજના બંને તરફ લોખંડની નેટ લગાવવામાં આવે તે પણ જરૂરી છે.
આ પણ વાંચો—AMBAJI : નકલી અમૂલ ઘી બનાવવાનો અસલી ખેલાડી કોણ ? પોલીસની તપાસ શરુ