અહેવાલ- દિનેશ મકવાણા ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ પ્રથમ વરસાદમાં જ ખેડૂતો પાયમાલ થયા છે વિકાસની વાત સાથે ભરૂચમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસવે અને ગુડઝ ટ્રેનના મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને તે ખેડૂતોના ખેતરો પાસેથી પસાર થઈ રહ્યા છે પરંતુ ત્રણ પ્રોજેક્ટોના કારણે ખેડૂતોના ખેતરો નીચાણવાળા થતા વરસાદી પાણીનો ભરાવો થતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થતાં વળતરની માંગ કરી રહ્યા છે
ભરૂચ જિલ્લામાંથી ૩ મોટા પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે જેમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ અને ગુડઝ ટ્રેનના નિર્માણ કાર્ય ચાલી રહ્યા છે અને તે પણ ધમધોકાર વિકાસ આગળ ધપી રહ્યો છે ત્રણ મોટા પ્રોજેક્ટની કામગીરીના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા છે મોટા પ્રોજેક્ટોની કામગીરીના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોના કેટલાય ખેતરો નીચાણ થવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ભરૂચ તાલુકાની વાત કરવામાં આવે તો પરીયેજ, કોઠી, મનુબર, થામ, સરનાર,વાહલુ, દહેગામ, દયાદરા, આમોદ સમની ગામો સહિતના તાલુકાઓના ગામના ખેડૂતોના ખેતરોમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલી મગ મઠિયા ચણા તુવેર કપાસ સહિતના અનેક પાકો નષ્ટ થઈ ગયા છે અને વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડૂતોના ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
ભરૂચ જિલ્લામાં મોટા ત્રણ પ્રોજેક્ટના કારણે આગામી દિવસોમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી યથાવત રહેશે તો ગુજરાતના નકશામાં ભરૂચ જિલ્લો ખેતી મુક્ત બની જાય તો નવાઈ નહીં તેવા આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે કારણ કે ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં ત્રણ મોટા પ્રોજેક્ટ ના કારણે દર ચોમાસાની ઋતુમાં ખેડૂતોના ખેતરોમાં બે વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને વરસાદના વિરામ બાદ પણ ખેડૂતોના ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ખેડૂતો નવી ખેતી માટે વાવણી કરી શકતા નથી આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ ખેડૂતોના ખેતરો જળબંબોળ બનતા ખેડૂતો પાયમાલ થતા વળતરની માંગ કરી રહ્યા છે
ખેડૂતોના ખેતર નીચાણવાળો વિસ્તાર થતા વરસાદી પાણી ભરાયા
ભરૂચ જિલ્લાના વિકાસમાં ત્રણ મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ અને ગુડઝ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ ત્રણ મોટા પ્રોજેક્ટ ઊંચાઈ વાળી જગ્યાએ બનતા આજુબાજુના ખેડૂતોના ખેતરો નીચે જતા વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને વરસાદી પાણીનો નિકાલ માટે ત્રણ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બનાવેલી કાંસમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે ખેડૂતોના ખેતરો માં વરસાદી પાણી યથાવત રહ્યા છે અને ખેડૂતોના ખેતરો પ્રોજેક્ટ કરતા નીચે હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે
ગત વર્ષે પણ વરસાદી પાણી ભરાતા મૌખિક વળતર ચૂકવવાની બાહેધરી આપ્યા બાદ ખેડૂતોને કોણીયે ગોળ લગાવ્યો હતો :ખેડૂતો
છેલ્લા બે વર્ષથી ભરૂચ જિલ્લામાં ત્રણ મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ રહ્યો છે ગદ વર્ષે પણ મોટા પ્રમાણમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. કોન્ટ્રાક્ટરોએ પણ જે ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું છે તેનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે તેવું મૌખિક જણાવી ખેડૂતોને કોણીયે ગોળ લગાવ્યો હતો ગત વર્ષનું પુનરાવર્તન ચાલુ વર્ષે થતા ખેડૂતો હવે રોષે ભરાયા છે અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહેલા પાણી થી ખેડૂતોને થતા નુકસાન ના વળતરની માંગણી સાથે તાલુકા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે
૩ પ્રોજેક્ટોના આજુબાજુ માટીનું પુરાણ પણ ખેડૂતો માટે જોખમકારક.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં ત્રણ મોટા પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ અને ગુડઝ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી માં બંને તરફ માટીનું પુરાણ કરવામાં આવ્યું છે પરંતુ ચોમાસામાં વરસાદી પાણીના કારણે માટીનું ધોવાણ થતા પાણી સાથે માટી પણ ખેડૂતોના ખેતરોમાં પ્રસરી રહ્યા છે જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો પણ હવે વળતરની માંગ સાથે મેદાનમાં ઉતારવાની ચીમકી વિચારી રહ્યા છે
ભરૂચ જિલ્લાના 500થી વધુ ખેડૂતોને ૩ મોટા પ્રોજેક્ટના કારણે ખેતીમાં નુકસાન.
ભરૂચ જિલ્લામાંથી ત્રણ મોટા પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે અને આ પ્રોજેક્ટ વિકાસની ગાથા ને આગળ ધપાવી રહ્યું છે પરંતુ આ વિકાસની ગાથા ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આપત્તિ રૂપ સાબિત થઈ રહ્યા છે ત્રણેય પ્રોજેક્ટની કામગીરીના કારણે ભરૂચ જિલ્લાના 500થી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેડૂતોને પાયમલ થવાનો વારો આવ્યો છે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લો ખેતીપ્રધાનમાંથી મુક્ત થઈ જાય તેવા એંધાણો પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
આપણ વાંચો -મહિલા સાથે મારઝૂડ કરતાં પતિને મહિલા હેલ્પલાઇનની ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ