અહેવાલ – વિશ્વાસ ભોજાણી
શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ-અલગ રજા ના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓના કારણે હરરાજી અને યાર્ડનું કામ કાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતના એ રજાના દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે.
તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે આવતી કાલથી તમામ જણસીની આવક આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.
તા.2/9/2023 શનિવારના સવાર થી તમામ જણસી ની આવક બંધ રહેશે.
તા. 4/9/2023 – સોમવારે હરરાજી અને જણસી ની આવક બંધ રહેશે.
તા. 5/9/2023 – મંગળવાર (રાંધણછઠ) ના દિવસે હરરાજી અને જણસી ની આવક બંધ રહેશે.
તા. 6/9/2023 – બુધવાર (શીતળા સાતમ) ના દિવસે જણસી ની આવક, હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
તા. 7/9/2023 – ગુરુવાર (જન્માષ્ટમી) ના દિવસે જણસી ની આવક, હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
તા. 8/9/2023 – શુક્રવાર (નોમ) ના દિવસે જણસી ની આવક, હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
તા. 9/9/2023 – શનિવાર (દશમ) ના દિવસે હરરાજી બંધ રહેશે
તા. 11/9/2023 – સોમવાર ના દિવસે હરરાજી બંધ રહેશે
તા. 15/9/2023 – શુક્રવાર (ભાદરવી અમાસ) ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.