નવસારીમાં ધોળા દિવસે ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેરાવળ જકાતનાકા રોડ પર આવેલા ઓરનેટ 5 એપાર્ટમેન્ટમાં રહેતા ફૂટવેરના વેપારીને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા. આ મામલે ટાઉન પોલીસને ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, નવસારીમાં રહેતા અને સ્ટાર ફૂટવેરની દુકાન ધરાવતા ઈમરાન ઇકબાલ મીઠાવાળાને સાસરીએ જુમ્માનો રોજો ખોલવા માટે પત્નીએ બોલાવ્યા હતા. તેનો લાભ ઉઠાવી તસ્કરો 9,52,000 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ સીસીટીવી સહિત અન્ય પુરાવા ભેગા કરી ચોરોને પકડવા તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના શાહીબાગમાં પણ બંધ મકાનમાં ચોરોએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 39.40 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જેથી યુવકે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોધાવી છે.
આ પણ વાંચો : બારડોલીમાં કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, છ લોકોના કરુણ મોત