અહેવાલ – શકિતસિંહ રાજપુત, અંબાજી
શકિતપીઠ અંબાજી મંદિરમાં આજે એઆઇએટીએફના ચેરમેન એમ.એસ.બીટા દર્શન કરવા આવ્યા હતા. ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવતા એમ.એસ.બીટાનું ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીના ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.તેઓ રાજસ્થાનના પાવાપુરીથી અંબાજી આવ્યાં હતા અને મીડિયાના સવાલો પર બોલ્યા હતા કે અમારું રાષ્ટ્ર મજબૂત બને, અમારી સીમાઓ સુરક્ષીત રહે, અમારા જવાન સુરક્ષીત રહે, રાજનીતિ પર બોલ્યા અને ખાસ ઇન્ડિયા પર્ બોલ્યા હિન્દુસ્તાન છે. નવી નવી પાર્ટીઓ બનાવતા પક્ષો, પાપીઓ પાર્ટી ઇન્ડિયા બનાવે તો શું ઇન્ડિયા, રોડ પર ચાલતું નામ છે. ઇન્ડિયા પક્ષો પર બોલ્યાં કે જે ભારતનું નામ છે તેને પગ પર ન લઇ જાઓ હિન્દુસ્તાન સંતોની ભૂમિ છે. શહીદોની ભૂમિ છે.
જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી આવ્યા ત્યારબાદ તમે કોઈ મીડિયામાં દાઉદ ઇબ્રાહિમના સમાચાર સાંભળ્યા? પહેલા હાફિઝ નુ ચાલતું હતું ?આતંકવાદી નુ ચાલતું હતું ? ટ્રેન મા બ્લાસ્ટ થતા હતા.26/11 ની ઘટના હોય કે જયપુર ની ઘટના હોય કે દિવાળીમાં દિલ્હીમાં ફટાકડાંની જગ્યા પર બોમ્બ ચાલતા હતા. હવે પાકિસ્તાન ભારતથી ડરે છે. યુદ્ધ પર પણ નિવેદન આપ્યું, છેલ્લા 4 મહિનામાં બીજી વખત અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને ગુજરાતની ધરતી ને નમન કર્યું હતુ.
આ પણ વાંચો – Surat Police : સુરત પોલીસનું યુપીના મિર્ઝાપુરમાં ઓપરેશન, મજૂરનો વેશ ધારણ કરી આરોપીની કરી ધરપકડ