Morbi: મોરબી(Morbi) સબ જેલમાંથી વધુ એક કેદી મુક્ત થયા છે. જેમાં કૌટુંબિક ભાઈની હત્યાનો બદલો લેવા અનિલભાઈ દાનાભાઈએ હત્યા કરી હતી. જે હત્યાના ગુન્હામાં વર્ષ 2007માં આજીવન કેદની સજા પામેલ અનિલભાઈ દાનાભાઈ છાશિયાને મુક્ત કરવામાં આવ્યા છે.
17 વર્ષ દરમિયાન તેઓએ અનેક અભ્યાસમાં સિદ્ધિ મેળવી
મોરબી(Morbi) જેલમાં આવ્યા ત્યારે તેઓ સાક્ષર ન હતા પરંતુ જેલમાં 17 વર્ષ દરમિયાન તેઓએ અનેક અભ્યાસમાં સિદ્ધિ મેળવી છે. જેમાં કૌશલ્ય વર્ધક તાલીમ લીધી હતી. હાઉસ ઇલેક્ટ્રિક,તેમજ સ્કીલ ડેવલપમેન્ટ તેમજ કમ્પ્યુટર હાર્ડવેરનો કોર્ષ ,જવેલરી ડીઝાઇન જેવા કોર્ષ કર્યા છે. આ સિવાય જેલમાં તેઓએ ઇલેક્ટ્રિષિન,વોચમેન તરીકે કામ કર્યું છે. અને જેલને સ્વચ્છ રાખવાનું પણ કામ કર્યું છે અને અન્ય જેલોમાં જઈને કેદીઓને ભણાવવાનું પણ કામ કર્યું છે.
સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમુક્ત કરવામાં આવ્યા
અને સરકારી યોજનાનો લાભ લઈને આજે તેઓને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે મૂળ ધ્રાંગધ્રાના વતની અનિલભાઈને જેલ મુક્તિ મળતા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ હતી. તેમજ જેલ મુક્તિ બાદ એક સામાન્ય નાગરિક બનીને જીવન સારું પસાર કરે તેવી જેલ પ્રશાશને આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Earthquake : કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.ગુજરાત ફર્સ્ટ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ