શહેરના ગાયત્રીનગરમા રહેતા માતા પુત્રએ વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બન્નેના મોત નિપજતા ગમગીની છવાઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ ત્રણ ખુણીયા ગાયત્રીનગરમાં રહેતા વિનોદચંદ્ર જેરામભાઈ પીઠવાના પત્નિ ભારતીબેન તથા પુત્ર મિરાજ વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પ્રથમ પુત્ર મિરાજે અને બાદ મા માતા ભારતીબેને દમ તોડી દેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.
માતા-પુત્રએ ઝેર પીધું
વિનોદચંદ્રના જણાવ્યા અનુસાર પોતે પત્નિ તથા પુત્ર દરરોજ સવારે ગરમ પાણી મા આમળાના જ્યુસનું સેવન કરતા હોય રોજીંદા ક્રમ મુજબ વહેલી સવારે પોતે ઉઠી જ્યુસ પીને ઘરની અગાસી પર લટાર મારવા ગયા હતા. થોડીવાર બાદ નીચે ઉતરીને જોતા પત્નિ ભારતીબેન જમીન પર ફસડાયેલી હાલત મા હતા અને મોઢા માંથી ફીણ નિકળતુ હોય પુત્ર મિરાજને અવાજ કરતા તે દોડી આવ્યો હતો. પરંતુ મિરાજ પણ લથડીયા ખાતો હોય તે પણ બેશુધ્ધ થઈ જતા વિનોદચંદ્ર ગભરાઇ ગયા હતા બાદમાં પાડોશીઓ એકઠા થઈ જતા માતા પુત્ર ને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સવારે 10 કલાકે મિરાજે દમ તોડ્યો હતો બાદ મા સાંજે માતા ભારતીબેને પણ પુત્ર પાછળ આંખો મીચી લેતા કરુણતા સર્જાઇ હતી.
- વિનોદચંદ્ર પરીવાર સાથે આફ્રીકાના દારેસલામ રહેતા હતા અને ત્યા ચાઇનીઝ વસ્તુઓનુ માર્કેટિંગ કરતા હતા. છેલ્લા પાંચ વર્ષ થી વતન ગોંડલ પરત ફર્યા હતા. મિરાજે ધોરણ બાર સુધી નો અભ્યાસ આફ્રિકા કર્યો હતો.ભારત મા પરત ફર્યા બાદ પુના કોલેજ મા થોડો સમય અભ્યાસ કર્યો હતો.
માતા-પિતા પુત્રની કેન્સરની બિમારીથી ચિંતિત
દરમિયાન તેને કેન્સરની બીમારી થતા તેની સારવાર ચાલુ હતી પરંતુ બિમારી ને કારણે સતત ડિપ્રેશન મા રહેતો હોય માતા પિતા મિરાજ માટે ચિંતિત રહેતા હતા. સવારે ગરમ પાણી સાથે આમળાના જ્યુસને બદલે માતા પુત્રએ ઝેરના પારખા કરતા બન્નેના મોત નિપજ્યા હતા. વિનોદચંદ્રને સંતાન મા એક માત્ર મિરાજ હતો અને અપરણીત હતો. પત્નિ અને પુત્રની અકળ વિદાયના પગલે વિનોદચંદ્ર હતપ્રત બન્યા હતા.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : BHARUCH : બંધ મકાનને તસ્કરોની સેંધ, CCTV કેમેરામાં ચોરો કેદ