BJP ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગોધરાના રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં પંચમહાલ લોકસભા મતવિસ્તારના તમામ બુથ કાર્યકર્તાઓનો સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપના ( BJP ) તમામ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ મહામંત્રી, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત સભ્યો તેમજ શક્તિ કેન્દ્રના અને વોટ્સઅપ પ્રમુખ, સરપંચો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો આ સંમેલનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ( BJP ) સી.આર.પાટીલે ગોધરા ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમા હાજરી આપી કાર્યકર્તાઓને સંબોધ્યા. ગોધરાના રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમા પંચમહાલ લોકસભાના મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ મહામંત્રી, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત સભ્યો સભ્યો તેમજ શક્તિ કેન્દ્ર પ્રમુખો તેમજ સરપંચો સહિત વિવિધ ક્ષેત્રના ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ગત ચૂંટણીમાં અનેક બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ હતી તે આ વખતે તમામ બેઠકો પર ડિપોઝીટ જપ્ત થાય એવું બુથ લેવલે કામ કરવા હાકલ કરી હતી.
બુથ મેનેજમેન્ટનું માઈક્રો પ્લાનિંગ કાર્યકરો અને હોદ્દેદારોને સમજાવી પંચમહાલ લોકસભા બેઠક પર 5 લાખની લીડ કેવી રીતે મેળવી શકાય તે અંગે આંકડાઓ બતાવી સમજ આપી હતી. સાથે જ આ લોકસભાની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓને ખૂબ કામ કરવાનું જણાવી કોઈ કસર બાકી ન રાખવા જણાવ્યું હતું, અને 2029 માટેનો હર બાર મોદી સરકારનો સૂત્ર બોલાવ્યો હતો.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : Parshottam Rupala : ગોંડલ તાલુકા ક્ષત્રિય સમાજે રૂપાલા મામલે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું