રાજકોટમાં એક અચંબામાં મુકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ એરપોર્ટથી ગત રાત્રે 8 વાગ્યે ફ્લાઈટ પાયલોટની હઠના કારણે ઉડાન ભરી શકી નહી. પાયલોટની શિફ્ટ પુરી થઈ જતાં તેણે પ્લેન ઉડાડવાની ના પાડી અને તેના કારણે ફ્લાઈટના આશરે 100 મુલાફરો રઝળી પડ્યા હતા.
3 સાંસદો સહિત મુસાફરો રઝળ્યા
મહત્વની વાત એ છે કે આ ફ્લાઈટમાં દિલ્હી જવા માટે ત્રણ સાંસદો પણ જવાના હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા,પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવાના હતા પણ પાયલોટની વ્યવસ્થા નહી થતા ગઈકાલ રાત્રિથી આ ફ્લાઇટ એરપોર્ટ પર જ પડી રહી. દિલ્હીથી પાયલોટ આવશે ત્યારબાદ આ ફ્લાઇટ ઉડાન ભરશે.
સાંસદોએ પાયલોટને મનાવ્યો
રવિવારે સાંજના સમયે રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી જનારી એક ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી જનારા 100 થી વધુ મુસાફરો બેસી ગયા હતા. આ મુસાફરોમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ પણ હતા પણ ફ્લાઇટના મુખ્ય પાયલોટે ડ્યુટી પૂરી થઈ ગઈ હોવાથી તેણે આ ફ્લાઈટને દિલ્હી લઈ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
દિલ્હીથી પાયલોટ આવ્યા બાદ ટેકઓફ થશે
મળી રહેલી વિગતો અનુસાર સાંસદો, એરપોર્ટના અધિકારીઓએ આ પાયલોટને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે માન્યો નહી અને ફ્લાઈટ રદ કરવામાં આવી. જેથી સાંસદો પણ રઝળી પડ્યા. આ ફ્લાઈટ હજુ રાજકોટ એરપોર્ટ પર પડી છે દિલ્હીથી પાયલોટ આવશે ત્યારબાદ આ ફ્લાઇટ ઉડાન ભરશે.
આ પણ વાંચો : ‘ઓહ… બાપા ગયા’ પાણીમાં તણાતા ‘બાપા’ને જૂનાગઢ પોલીસે હેમખેમ બચાવી લીધા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.