યુવરાજસિંહ જાડેજાની તબિયત અચાનક લથડી છે. સતત વધતાં જતાં ઉજાગરા, પરિવારની ચિંતા અને ડિહાઈડ્રેશનને કારણે તેમની તબિયત લથડી છે. તેમણે તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઇલ કરી લેખિતમાં સમય માંગ્યો છે.
@YAJadeja ના સતત વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશન ને કારણે તબિયત અચાનક લથડી.
SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરી લેખિત માં સમય માંગ્યો. pic.twitter.com/9FUPKZn8q6
— Bindiyaba Gohil Jadeja (@bindiyabagohil) April 19, 2023
તમને જણાવી દઈ કે, રાજ્યમાં પેપર ફૂંટ્યા હોવાનો ઘણીવાર પુરાવા આપી ચુકેલા અને આજના સમયે વિદ્યાર્થીના નેતા તરીકે ઓળખ ઘરાવતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ થયો છે. જે બાદથી તેઓ વીડિયો રિલીઝ કરી પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. વળી આજે ભાવનગર પોલીસ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી.