અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લાના એક ગામમાં ગરીબ પરિવારની 2 દીકરીઓ ઉપર દુષ્કર્મ થયું હતું નાની દીકરીને સ્કૂલે મૂકવાના બહાને કહેવાતા જમાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં સગીરાની માતા મીડિયાના સરણે આવી અને ફરિયાદ નોંધાવી સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં કહેવાતા નરાધમ બનેવીને ઝડપી પાડ્યો તપાસ દરમિયાન તે પોતે પરિણીત હોય છતાં પીડિતાની મોટી બહેન ઉપર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો નાની દીકરી દુષ્કર્મનો ભોગ બન્યા બાદ સારવાર હેઠળ અને મોટી દીકરી ગર્ભ હોવાના કારણે એક માતા ન્યાય માટે જજુમતી હતી અને તેણીને ન્યાય અપાવવા માટે અનેક લોકો જોતરાઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના એક અંતરિયાળ ગામમાં ગરીબ પરિવારમાં કહેવાતા જમાઈનો ગંભીર પ્રકારનો ભાંડો ફૂટ્યો હતો કહેવાતા જમાઈ નરાધમ નીકળ્યો અને કહેવાતા જમાઈએ ઘરમાં કહેવાતો જમાઈ બની 6 મહિનાથી રહેવા લાગ્યો જે જમાઈને દીકરો માન્યો તે નરાધમ નીકળશે તેની ખબર નહોતી.. કહેવાતા જમાઈએ જે ઘરમાં રહેતો હતો તેની જ નાની દીકરી કહેવાતી સગીર વયની સાળીને 8 જુલાઈએ સવારે સ્કૂલે મૂકવાના બહાને લઈ જઈ ઈકકો ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો ઘટનાના 15 દિવસ બાદ 22 જુલાઈએ સગીરાને ગુપ્ત ભાગ ઉપર ગંભીર પ્રકારનો સોજો અને ઇન્ફેક્શન થઈ ગયું તે ચાલી પણ શક્તિ ન હતી અંતે તેણીએ બનેવી એ કરેલા કૃતિની જાણ તેની માતાને કરી હતી અને માતા નાની દીકરીને લઈ નજીકના હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે પીડિતાની હાલત નાજુક લાગતા તેણીને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ જે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું તે જ કહેવાતો બનેવી સગીરાને સિવિલમાં દાખલ કરી રફુચક્કર થયો 5 દિવસથી કહેવાતો જમાઈ પીડિતાની મોટી બહેનને ગર્ભવતી હોવા છતાં લઈ ગયા બાદ કોઈ અતો પતો લાગ્યો ન હતો અને પીડિતાની માતા પીડિતાને લઈ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાથી ન્યાય માટે જજુમતી હતી
આ ઘટનામાં પીડીતાની માતા ભરૂચમાં તેના સગા સંબંધીને મળી અને તે સગા સંબંધીએ ભરૂચના મિત્ર મારફતે મિડીયા સાથે સંપર્ક કરાવ્યો પીડીતાની માતાની વેદના સાંભળી સૌપ્રથમ તો મિડીયા પણ ચોંકી ઉઠ્યું આટલી ગંભીર પ્રકારની ઘટનામાં પણ પોલીસે પીડિતાની માતાએ કંઈ કરવું નથી તેમ કહ્યું હતું કાર્યવાહી કરી ન હતી પરંતુ પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે મિડીયાના સહકારથી પીડિતાની માતાએ ફરી એકવાર વર્ધી પોલીસ મથકે લખાવી અને આખરે પોલીસે સિવિલ હોસ્પિટલમાં પીડીતાનું નિવેદન લેવા દોડી આવી ગુનો દાખલ કર્યો અને પૂર્વ એસપી ડો. લીના પાટીલે પણ નરાધમને તાત્કાલિક ઝડપી પાડવા માટેના આદેશો કર્યા હતા જેના પગલે પોલીસે કહેવાતા નરાધમ બનેવીને અંકલેશ્વરના એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો
નરાધમ જેલમાં પહોંચી જતા નરાધમ પીડિતાની મોટી બહેનને પણ ગર્ભવતી બનાવી તેની સાથે ભગાડી ગયો હતો જેના કારણે ગર્ભવતી બનેલી દીકરીએ ફોન મારફતે તેની માતાનો સંપર્ક કર્યો અને ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી ગર્ભવતી બનેલી મોટી બહેન સાથે પણ નરાધમે છેતરપિંડી કરી કુવારો છે તેમ કહી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું સિવિલ હોસ્પિટલમાં પોતાની બહેનને સારવાર લેતી જોઈ મોટી બહેને પણ તપાસ કરાવતા ગર્ભવતી બનાવનાર નરાધમ સતીશ રાજુ વસાવા અગાઉથી જ લગ્ન કરેલ હોય અને તેને સંતાન હોવાનો ભાંડો ફુટતા ગર્ભવતી બનેલી દીકરીએ પણ પોલીસ ફરિયાદ કરવાની હિંમત દર્શાવી હતી અને પીડિતાના પરિવારે સુપ્રીમ કોર્ટના હુકમથી તેમની દીકરીને નવું જીવન મળશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી
બળાત્કારનો ભોગ બનેલી અને ગર્ભવતીને ન્યાય અપાવવા માટે જાગૃત મીડિયા કર્મીઓએ ભરૂચમાં સમાજ સુરક્ષા સંસ્થામાં પીડીતાઓને ન્યાય અપાવતા પ્રેમીલાબેન વરમોરાનો સંપર્ક કરાવ્યો પ્રેમીલાબેન વરમોરાએ પણ પીડિતાની પડખે ઊભા રહી તેણીને ન્યાય અપાવવા માટેનું આશ્વાસન આપ્યું અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાની ફરજ પડશે તો જઈશું તેમ કહેતા પીડીતા અને તેની માતા બંનેમાં હિંમત આવી પ્રેમીલાબેન વરમોરા બળાત્કારનો ભોગ બનેલી ગર્ભવતી પીડિતાને લઈ પોલીસ મથકે પહોંચ્યા અને ગર્ભવતી પીડિતાએ પણ નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એક પીડીતા ઉપર બળાત્કાર કર્યો હોવાનું ગુનો દાખલ કર્યો હતો
બળાત્કારનો ભોગ બનેલી પીડીતા ગર્ભવતી હોય અને તેનું ગર્ભપાત માટે સિવિલ હોસ્પિટલમાં પ્રયાસ કર્યા તો કહ્યું કોર્ટનો હુકમ હશે તો જ થશે પીડિતા અને તેની માતા ફરી એકવાર ચિંતામાં મુકાયા અને પ્રેમીલાબેન વરમોરા પીડીતાને ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટના દ્વાર વકીલ મારફતે ખટખટાવ્યા 12 દિવસ બાદ હાઇકોર્ટે પણ તેમની અરજીને રિજેક્ટ કરી પ્રેમીલાબેન વરમોરાએ આખરે પીડિતાને ન્યાય અપાવવા માટે હિંમત ન હાર્યા અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા તાત્કાલિક મહત્વના દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાત માટે વકીલ મારફતે અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટનો ઉધડો લીધો અને સમય બગાડવા અંગે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ટિપ્પણી કરી અને સુપ્રીમ કોર્ટે પણ તબીબોના અભિપ્રાય મંગાવ્યા અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને પીડિતાને ગર્ભ રાખવા દબાણ ન કરી શકાય તેમ કહી બળાત્કારનો ભોગ બનેલી પીડીતાને 27 અઠવાડિયાના ગર્ભ માટે ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી અને આજે અથવા મંગળવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી ગર્ભપાત કરાવવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા આ ચુકાદો મહત્વનો બની ગયો છે અને પીડિતા હાલ સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત માટે દાખલ થાય છે હોસ્પિટલના તબીબો એ પણ સુપ્રીમ કોર્ટના આદેશ ને આવકારી એક પીડીતાને ન્યાય અપાવ્યો હોવાનું રટણ કર્યું છે