અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર
જેતપુર તાલુકાના પીઠડીયાના રાજવી,વીર ચાંપરાજવાળના વંશજ એવા શ્રી મહિપાલવાળા સુરગવાળા સાહેબનું આજે સવારે 74 વર્ષની વયે નિધન થયું હતું. તેઓના નિધનના સમાચારથી સમગ્ર જેતપુર શહેર અને પંથક તેમજ રાજવી પરિવારો અને કાઠી ક્ષત્રિય પરિવારજનોમાં શોક ફેલાયો હતો. નાદુરસ્ત તબિયતને લીધે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.
તેઓના સ્વજનોએ જણાવ્યું હતું કે, મહિપાલવાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતી. તેઓએ દહેરાદૂન દૂંન સ્કૂલ અને રાજકોટની રાજકુમાર કોલેજ તેમજ બોમ્બેની સેંટ જેવીયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.તેઓએ રાજકુમાર કોલેજના 8 વર્ષ સુધી પ્રમુખ પદે રહીને સુપેરે ફરજ બજાવી હતી.રાજવી પરિવાર દ્વારા ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયા બાદ બપોરના 4 કલાકે સ્મશાન યાત્રા નીકળી ત્યારે સ્વયંભૂ જેતપુર તેમજ દેશ-દેશાવરના રાજવીશ્રીઓ ભીની આંખે જોડાયા હતા