Home » અમરનાથ યાત્રા માટે જમ્મુ પહોંચેલા 300 શ્રદ્ધાળુઓ છેતરપિંડીનો ભોગ બન્યા..!
અમરનાથ યાત્રા માટે જમ્મુ પહોંચેલા 300 શ્રદ્ધાળુઓ છેતરપિંડીનો ભોગ બન્યા..!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
379
અમરનાથ યાત્રાની આજથી ઔપચારિક રીતે શરુઆત થઈ ગઈ છે. પ્રથમ બેચ શુક્રવારે (30 જૂન) અમરનાથ માટે રવાના થઈ હતી, જ્યારે બીજી બેચ પણ શનિવારે (1 જુલાઈ) રવાના થઈ હતી. દરમિયાન, અમરનાથ યાત્રામાં ઓનલાઈન છેતરપિંડી થઈ રહી હોવાથી લગભગ 300 મુસાફરો છેતરપિંડીનો શિકાર બન્યા છે અને જમ્મુમાં અટવાઈ ગયા છે. આ મુસાફરો ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગાઝિયાબાદથી જમ્મુ પહોંચ્યા હતા. કેટલાક ટૂર ઓપરેટરોએ આ મુસાફરોને અમરનાથ યાત્રા માટે ઓનલાઈન પેકેજના નામે નકલી રજીસ્ટ્રેશન કરાવીને ફસાવ્યા છે.
દરેક યાત્રી પાસેથી 7000 રૂપિયા લેવામાં આવ્યા હતા
અહેવાલો મુજબ મુસાફરોએ જણાવ્યું કે દસ્તાવેજોના નામે દરેક યાત્રી પાસેથી 7000 રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે મુસાફરો અમરનાથ યાત્રા જવા માટે જમ્મુ પહોંચ્યા તો તેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી, ત્યારબાદ જાણવા મળ્યું કે ટુર ઓપરેટર્સ દ્વારા જે દસ્તાવેજો અપાયા હતા તે દસ્તાવેજો નકલી હતા.
મુસાફરોમાં ભયનો માહોલ
આ સમગ્ર ઘટના બાદ છેતરપિંડીનો ભોગ બનેલા મુસાફરોમાં ભયનો માહોલ છે. વાસ્તવમાં, આ તમામ ભક્તો RFID કાર્ડ મેળવવા માટે નોંધણી કેન્દ્રો પર પહોંચ્યા હતા અને શ્રાઈન બોર્ડના પોર્ટલ પર કોઈ ડેટા મળ્યો ન હતો. જે બાદ જમ્મુ અને કઠુઆ પ્રશાસનની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
કેવી રીતે ભાંડો ફૂટ્યો
જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ કહ્યું કે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે. એટલું જ નહીં, યાત્રીઓને સલાહ આપતાં તેમણે કહ્યું કે અમરનાથ યાત્રા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈને જ નોંધણી કરો. કઠુઆ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ઈ-કેવાયસી વેરિફિકેશન અને આરએફઆઈડી કાર્ડ જારી કરવાના સમયે છેતરપિંડી જોવા મળી છે. છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા મામલો પોલીસ પ્રશાસનને સોંપવામાં આવ્યો હતો. આ સાથે વહીવટીતંત્રે લોકોને કોઈપણ નકલી ટ્રાવેલ એજન્સીને પરમિટ આપવા અંગે સતર્ક રહેવાની સલાહ આપી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject