દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે ફરી મોત જોવા મળ્યું. અહીં સ્કૂલ બસ ડ્રાઈવરની ભૂલ અને વહીવટીતંત્રની બેદરકારીને કારણે એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે. મેરઠનો આ પરિવાર TUV 300 કારમાં રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો. પરંતુ ગાઝિયાબાદમાં દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. પરિવારના બે સભ્યોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
#Delhi | દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂલ બસ અને કારની જોરદાર ટક્કરના CCTV #Delhi #delhimeerutExpressWay #accident #BreakingNews #gujaratfirst pic.twitter.com/rY444pkom8
— Gujarat First (@GujaratFirst) July 11, 2023
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ગાઝિયાબાદમાં મંગળવારે આ અકસ્માત થયો હતો. ગાઝિયાબાદના વિજય ચોક પાસે TUV 300 કાર અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કાર સંપૂર્ણપણે તૂટી ગઈ હતી અને કારમાં બેઠેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 8 વર્ષના બાળક સહિત બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત બાદ કારના ગેટને કટર વડે કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
#WATCH | Uttar Pradesh | Six dead and two critically injured in a collision between a school bus and a TUV in Ghaziabad NH 9. The bus driver, who was driving in the wrong direction, has been nabbed. Visuals from the spot. pic.twitter.com/wMnKPnP7bb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023
ઘટનાના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડથી એક્સપ્રેસ વે પર આવી રહી છે. જ્યારે કાર મેરઠ તરફથી આવી રહી છે અને અચાનક જ બંને સામસામે ટકરાય છે.. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સીએનજી ભરીને સ્કૂલ બસના ડ્રાઈવરે થોડા કિલોમીટરની મુસાફરી બચાવવા માટે બસને 8 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી હતી. પરંતુ સવાલ એ છે કે જ્યારે બસ ડ્રાઈવર રોંગ સાઈડથી દિલ્હી-મેરઠ જેવા મુખ્ય અને વ્યસ્ત એક્સપ્રેસ વે પર પ્રવેશી રહ્યો હતો ત્યારે તેને કેમ રોક્યો ન હતો. આટલું જ નહીં બસ ડ્રાઈવર 8 કિલોમીટર સુધી રોંગ સાઈડ પર ચાલતો રહ્યો, તો પણ એક્સપ્રેસ વે પર તૈનાત પોલીસ તેને કેમ ન દેખાઈ?
Uttar Pradesh | At least five people died in a collision between a school bus and a car on Ghaziabad NH 9 this morning. The school bus had no student on it and was reportedly coming from the wrong direction. Details awaited. pic.twitter.com/8WKCYXDEei
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023
બસ ડ્રાઈવરની અટકાયત કરી છે
ADCP ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે 6-7ની વચ્ચે થયો હતો. અકસ્માત બાદ સ્કૂલ બસના ડ્રાઈવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે સ્કૂલ બસ ખાલી હતી.
#WATCH | RK Kushwaha, ADCP (traffic) says, "…Six people died on the spot, and two are critically injured. The bus driver was coming from the wrong direction after getting CNG from Ghazipur in Delhi. The TUV was coming from Meerut's direction and was on its way to Gurugram. It… pic.twitter.com/2mszamt7pi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઘાયલોના જલદી સાજા થવાની કામના સાથે તેમની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : PUBG Love Story : શું પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને મળશે ભારતીય નાગરિકતા!, જાણો શું કહે છે કાયદો