Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે. છેલ્લા દશ વર્ષમાં મતદાનની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ભારતની એવી પણ ઘણી લોકસભા બેઠકો છે જ્યા લોકો કોંગ્રેસે મત આપવાની ચોખ્ખી ના પાડી રહ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અત્યારે સુધી અમેઠી લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. પરંતુ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ અમેઠીના સુજાનપુર ગામના લોકોએ કોંગ્રેસને મત ના આપવાનું એલાન કરી દીધું છે. ગ્રામજનોનો આરોપ છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ એમએલસી દીપક સિંહે ખોટું બોલીને ગામની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસના નેતાના નિવેદન બાદ ગ્રામજનો રોષે ભરાયા
લોકસભા ચૂંટણી પહેલા અમેઠીમાં ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર આમને સામને આવી ગયાં છે. કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીના ગામ સુજાનપુરની મુલાકાત લેતી વખતે કોંગ્રેસના પૂર્વ MLC દીપક સિંહે કોંગ્રેસના ન્યાય ગેરંટી પત્રનું વિતરણ કરતી વખતે વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાની પર ગામમાં વિકાસ ન લાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાના આ નિવેદન બાદ ગ્રામજનો રોષે ભરાયા છે. ગામના ગ્રામજનોએ બેઠક યોજી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપવાની જાહેરાત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં ગામમાં મોટા પાયે વિકાસના કામો થયા છે, પરંતુ કોંગ્રેસના આગેવાનોએ ગામની છબી ખરડાવવા ખોટા આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસ પર આ ગામ લોકોએ કહ્યા આક્ષેપો
અહીં રહેતા એક ગ્રામજનોએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદાવાર ક્યારેય આ ગામમાં આવ્યા જ નથી. વધુમાં કહ્યું કે, આરોપ લગાવતા અહીં આવતા જ નથી. જેથી આ લોકો માત્ર ખોટા આરોપ લગાવી રહ્યાં છે. ગ્રામજનોએ કહ્યું કે, સાંસદ સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં ગામમાં ખુબ જ વિકાસ થયો છે. ગામમાં ઇન્ટર લોકીંગ લગાવવામાં આવેલ છે. 10 કિલોમીટરથી વધુ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. ગામમાં રહેતી મહિલા ગ્રામીણ માલતીએ જણાવ્યું કે ગામમાં તમામ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે. ગામની દરેક શેરીમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ગામની મહિલા પૂજાએ જણાવ્યું કે ગામમાં તમામ રસ્તાઓ બની ગયા છે.
ગ્રામ લોકોએ કહ્યું અમારા ગામનો વિકાસ થયો છે
વધુમાં ભાજપના જિલ્લાધ્યક્ષ રામ પ્રસાદ મિશ્રે કહ્યું કે, કોંગ્રેસની જૂની આદત છે. જ્યારથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ આ ગામ દત્તક લીધું છે ત્યારથી આ ગામમાં પચાસ પ્રકારના કામો થયા છે. આ ગામમાં પાણી, પાણી, શાળા બધું જ છે, પરંતુ કોંગ્રેસ દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. આ ગામમાં જે પણ સમસ્યાઓ હતી તે તમામને સાંસદે બેઠક યોજીને ઉકેલી હતી.