વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 103માં એપિસોડમાં દેશવાસીઓ સાથે વાત કરી. વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરે છે. લગભગ 23 કરોડ લોકો મન કી બાત કાર્યક્રમ રેગ્યૂલર સાંભળે છે અને ઓછામાં ઓછા 100 કરોડ લોકોએ ઓછામાં ઓછું એક વખત તો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો જ છે. આ પહેલા મન કી બાતનો 102 મો એપિસોજ 18 જુનના રોજ ટેલિકાસ્ટ થયો હતો.
દુનિયાને આપણી સંસ્કૃતિનો પરિચય
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શ્રાવણ મહિનાં બધા જ જ્યોતિર્લિંગ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. દર વર્ષે કાશીમાં 100 કરોડથી વધારે લોકો પહોંચી રહ્યાં છે. આ અમારી સંસ્કૃતિ પરિચયનો એક ભાગ છે. વડાપ્રધાન મોદીએ બે વિદેશી દોસ્તો જે કેલિફોર્નિયાના રહેનારો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્વામી વિવેકાનંદ વિશે આ બંને વિદેશી દોસ્તોએ સાંભળ્યું હતું. તેમણે સાંભળ્યું હતું કે સ્વામી વિવેકાનંદ બાબા અમરનાથના દર્શન કરવા ગયા હતા. એવામાં હવે તે પણ અમરનાથના દર્શન માટે ભારત આવ્યા હતા. એક ફ્રેન્ચ મુળના મહિલા સાથે મારી મુલાકાત ફ્રાંસમાં થઈ હતી. જે યોગા ટીચર છે. તેનું આયુષ્ય 100 વર્ષથી વધારે છે. તે છેલ્લા 40 વર્ષથી યોગ પ્રેક્ટિસ કરી રહી છે. પોતાના 100 વર્ષના આયુષ્યનો શ્રેય તે યોગને આપે છે. દુનિયામાં તે ભારતના યોગ વિજ્ઞાનનો મુખ્ય ચહેરો બની ગયો છે.
ધરોહરને આગળ ધપાવવી પડશે
વડાપ્રધાન મોદીએ પેઈન્ટિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આર્ટિસ્ટ પ્રભાસભાઈએ એક પેઈન્ટિંગ બનાવી છે. જેમાં દર્શાવ્યું છે કે, છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે પોતાના કુળદેવીના દર્શન કરવા જઈ રહ્યાં હતા તો શું માહોલ હતો. આપણે આપણી ધરોહરને સાચવવી જોઈશે. આગામી પેઢીએ તેને આગળ ધપાવવી પડશે. તેમણે કહ્યું કે, રાઘવનજીએ નક્કી કર્યું કે તેઓ પોતાના પેઈન્ટિંગના માધ્યમથી જીવજંતુઓ અને વૃક્ષોના ચિત્રો બનાવીને જાણકારી એકઠી કરવાનું કામ કરશે. તેઓ અનેક પશુ પંખીઓની પેઈન્ટિંગ બનાવી ચુક્યા છે જે લુપ્ત થવાની સ્થિતિમાં છે.
આપણી કલાકૃતિઓ પરત મળી
અમેરિકા દ્વારા પરત કરવામાં આવેલી મૂર્તિઓ અંગે તેમણે કહ્યું કે, આ મૂર્તિઓ 2500 વર્ષથી લઈને 250 વર્ષ જૂની કલાકૃતિઓ છે. ચોલ યુગની ઘણી શિલ્પો તેમાં સામેલ છે. ભગવાન ગણેશની 1000 વર્ષ જૂની મૂર્તિ, 1100 વર્ષ જૂની ઉમા મહેશ્વરની મૂર્તિ, પથ્થરમાંથી બનેલી બે જૈન તીર્થંકરની મૂર્તિઓ, ભગવાન સૂર્યદેવની મૂર્તિ પણ અમેરિકાએ ભારતને પરત કરી છે. તેમાં 16મી-17મી સદીની આર્ટવર્ક છે જે સમુદ્ર મંથનને દર્શાવે છે. અમેરિકી સરકારનો આભાર કે જેમણે આપણી અમૂલ્ય સંસ્કૃતિની કલાકૃતિઓ પરત કરી છે.
ભોજપત્ર જીવનનિર્વાહનું સાધન
દેવભૂમિ ઉત્તરાખંડની માતાઓ-બહેનોના પત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેઓએ ક્યારેય કલ્પના કરી ન હતી કે ભોજપત્ર જે આપણી સાંસ્કૃતિક ધરોહર છે, તે તેમના જીવનનિર્વાહનું સાધન બની જશે. ચમોલી જિલ્લાના એક ગામની મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે મહાભારત ભોજપત્ર પર જ લખવામાં આવ્યું હતું. આ મહિલાઓ ભોજપત્ર પર સુંદર કલાકૃતિઓ બનાવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેવભૂમિ પર આવતા પ્રવાસીઓને વધુમાં વધુ સ્થાનિક સામાન ખરીદવાની અપીલ કરી હતી. આજે લોકો ભોજપત્રમાંથી બનેલી વસ્તુઓને પસંદ કરી રહ્યા છે. ભોજપત્રની આ પ્રાચીન વિરાસત ઉત્તરાખંડની મહિલાઓના જીવનમાં નવા રંગો ઉમેરી રહી છે. રાજ્ય સરકાર આ માટે મહિલાઓને તાલીમ પણ આપી રહી છે. આ સાથે ભોજપત્રની જાળવણી માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે રાજ્યોના ગામડાઓ દેશનો છેલ્લો છેડો માનવામાં આવતો હતો. હવે તે ગામોને પ્રથમ ગામો ગણીને વિકાસ કરવામાં આવી રહ્યો છે.
નશા સામે દેશની લડત
તેમણે કહ્યું કે, ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ અભિયાનનું આ સામાન્ય કારણ છે. જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને બચાવવા માટે મ્યુઝિકલ નાઇટ અને બાઇક રાઇડિંગ કરવામાં આવી રહી છે. ચંદીગઢની ક્લબમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. પંજાબમાં આ માટે પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસો ભારતમાં માદક દ્રવ્યોના દુરુપયોગ સામેના અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. 10 કરોડથી વધુ લોકોને નશા મુક્ત ભારત અભિયાન સાથે જોડવામાં આવ્યા છે. અમે લગભગ 1.5 લાખ કિલો ડ્રગ્સનો નાશ કરવાનું કામ કર્યું છે. તેની કિંમત 12 હજાર કરોડ રૂપિયા હતી.
ભારતનું મીની બ્રાઝિલ
વડાપ્રધાને કહ્યું કે, મધ્યપ્રદેશના શહડોલના વિચારપુર ગામને મિની બ્રાઝિલ કહેવામાં આવે છે. કારણ કે આજે આ ગામ ફૂટબોલના ઉભરતા સિતારાઓનો ગઢ બની ગયું છે. જ્યારે હું થોડા અઠવાડિયા પહેલા ત્યાં ગયો હતો ત્યારે હું ત્યાં ઘણા ફૂટબોલ ખેલાડીઓને મળ્યો હતો. ઘણા દાયકાઓ પહેલા આ ગામ ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સ માટે પ્રખ્યાત હતું. ભૂતપૂર્વ રાષ્ટ્રીય ખેલાડી અને કોચ રઈસ અહેમદે આ યુવાનોની પ્રતિભાને ઓળખી અને તેમને સંપૂર્ણ સમર્પણ સાથે ફૂટબોલ શીખવવાનું શરૂ કર્યું. અહીં ફૂટબોલ એટલો લોકપ્રિય થયો કે અહીંના યુવાનો તેમાં ભાગ લેવા લાગ્યા. અહીં ફૂટબોલ રિવોલ્યુશન નામનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં યુવાનોને શીખવવામાં આવે છે. આ કાર્યક્રમમાંથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ઉભરી આવ્યા છે. અહીંથી મોટી સંખ્યામાં એવા ખેલાડીઓ ઉભરી રહ્યા છે જેઓ રાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે. આદિવાસી સ્થળ જે ગેરકાયદે દારૂ અને ડ્રગ્સ માટે જાણીતું હતું, આજે તે ફૂટબોલની નર્સરી બની ગયું છે. એટલે જ કહેવાય છે કે જ્યાં ઈચ્છા હોય, ત્યાં રસ્તો હોય.
દેશમાં બે અભિયાન
પીએમ મોદીએ કહ્યું કે, શહીદ બહાદુર વિરાંગનાઓના સન્માન માટે મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. આપણા અમર શહીદોની યાદમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ગામે-ગામ દેશના દરેક ખુણેથી 7500 કળશમાં માટી લઈને કલશ યાત્રા ગામડે ગામડે કાઢવામાં આવશે. તેમાં વૃક્ષો પણ લાવવામાં આવશે. આ સાથે દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. દેશની પવિત્ર માટી હાથમાં લઈને શપથ લેતા સેલ્ફી yuva.gov.in પર અપલોડ કરો. દરેક ઘરે ત્રિરંગા ઝુંબેશ આ વખતે ફરી ચલાવવામાં આવશે. આનાથી આપણને સ્વતંત્રતાની કિંમતનો અહેસાસ થશે. દરેક દેશવાસીએ આ પ્રયાસમાં જોડાવું જોઈએ. થોડા દિવસોમાં, 15મી ઓગસ્ટે આપણે આઝાદીના મહાન તહેવારનો ભાગ બનીશું.
આ પણ વાંચો : દેશ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે : PM MODI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.