ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા બાદ વ્હિકલ સાથે જોડાયેલી તમામ બાબતોને લઇને દરેક જગ્યાએ સતર્કતા વધી છે.. વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની તો ગુજરાત યુનિવર્સિટીએ અનઅધિકૃત વ્હિકલ્સને પોતાના કેમ્પસમાં પ્રવેશતા અટકાવવા માટે એક નવો નિર્ણય લીધો છે. યુનિવર્સટી તેના તમામ કર્ચમારી, ટિચિંગ સ્ટાફ, સ્ટુડન્ટ્સ વગેરેને તેમના વ્હિકલ પર લગાવવા માટે એક સ્ટિકર ઇશ્યુ કરશે.. આ સ્ટિકરવાળા વ્હિકલનેજ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે.. સ્ટીકર વગરના વ્હિકલ્સને યુનિવર્સિટીના ગેટ પર જ અટકાવી દેવામાં આવશે .ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ આ અંગે પત્રકારોને માહિતી આપી હતી.
નીરજા ગુપ્તા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીએ તેના અલગ અલગ વિભાગ પાસે વિદ્યાર્થીઓની સંખ્યા માંગી છે.. કુલ આંક મળતાં યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધ્યાપકો, સ્ટાફના માણસો, વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોને સ્ટિકર આપવામાં આવશે. આ સ્ટિકર દરેકે પોતાના વાહન પર લગાવવાનું રહેશે. જેના વાહન પર સ્ટિકર હશે, તેને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. જે વ્યક્તિ અન્ય કોઈ કામ માટે આવશે તેને વિઝિટર તરીકે એન્ટ્રી કરાવીને પ્રવેશ આપવામા આવશે. આ સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહિ આવે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં અલગ અલગ 55 ભવન આવેલાં છે. યુનિવર્સિટીમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.