મણિપુરમાં હિંસાની ઘટનાઓ વચ્ચે એક એવી ખબર સામે આવી છે.. જેણે આ રાજ્ય સાથે જોડાયેલી ચિંતામાં વધારો કર્યો છે..22 અને 23 જુલાઈના રોજ મ્યાનમારના 700 થી વધુ નાગરિકો ઘૂસણખોરી કરીને મણિપુર આવ્યા હતા, જેના માટે રાજ્ય સરકાર વતી રાઈફલ્સ પાસેથી માહિતી માંગવામાં આવી છે. સરકારે રાઈફલ્સને કહ્યુ છે કે આ નાગરિકો યોગ્ય દસ્તાવેજો વિના રાજ્યમાં કેવી રીતે પ્રવેશ્યા અને તેમને અહીં આવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી.
ગૃહ વિભાગના નિવેદન અનુસાર, મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી એક વિગતવાર અહેવાલ માંગ્યો છે કે કેવી રીતે મ્યાનમારના ઓછામાં ઓછા 718 નાગરિકોને માત્ર બે દિવસ, 22 અને 23 જુલાઈના રોજ યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. વાસ્તવમાં, આસામ રાઇફલ્સ સરહદ પર સુરક્ષાની જવાબદારી ધરાવે છે, જેના કારણે રાજ્ય સરકારે રાઇફલ્સ પાસેથી જવાબ માંગ્યો છે. મણિપુર સરકાર એ વાતને લઈને પણ ચિંતિત છે કે ભારત પહોંચેલા મ્યાનમારના નાગરિકો પોતાની સાથે દારૂગોળો લઈને આવ્યા છે કે કેમ કારણ કે રાજ્યમાં હાલમાં સ્થિતિ તંગ છે.
આ મામલાને લઈને આસામ રાઈફલ્સના સેક્ટર-28 દ્વારા જણાવવામાં આવ્યું કે મ્યાનમારના 718 શરણાર્થીઓ સરહદ પાર કરીને ચંદેલ થઈને મણિપુરમાં પ્રવેશ્યા છે. આ સમગ્ર ઘટના અંગે મણિપુર સરકારનું કહેવું છે કે આ મામલામાં આસામ રાઈફલ્સના અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આ સાથે મ્યાનમારના આ નાગરિકોને પરત મોકલવાની સલાહ આપવામાં આવી છે. સરકાર એ વાતને લઈને પણ ચિંતિત છે કે મણિપુરમાં 2 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે મ્યાનમારથી આવેલા આ ઘૂસણખોરો પોતાની સાથે દારૂગોળો અને હથિયારો લઈને આવ્યા નથી