અમદાવાદના બોડકદેવમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ અમદાવાદનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાતની શૃંખલાને ૨૦ વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ વર્ષે 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.. વાઇબ્રન્ટ સમિટ પહેલા વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક કાર્યક્રમનું આયોજન કરવા પાછળ નો મુખ્ય હેતુ દરેક જિલ્લા તાલુકામાં નાના અને મોટા વેપારીઓ એક બીજા સાથે સંકલન કરી ધંધો રોજગાર વધારવાનો છે.. અમદાવાદ ખાતે આયોજિત “વાઇબ્રન્ટ ગુજરાત -વાઇબ્રન્ટ અમદાવાદ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો, બેન્કિંગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો હાજરીમાં મા એમ ઓ યુ થયા હતા..
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે બિઝનેસ માટે નું એક સારું પ્લેટફોર્મ બની રહ્યું છે આર્થિક વિકાસના લાભો દરેક લોકો સુધી પહોંચે તે વડાપ્રધાન નું સપનું સાકાર થયું છે.. વડાપ્રધાને રોજગારી મળે તે માટે સ્કિલ ડેવલોપમેન્ટ વિકસાવ્યું છે.. જન કલ્યાણ ના કર્યો ગાંધીનગર સુધી નહિ પરંતુ ગામડાઓ સુધી પહોચે તેવું આયોજન થયું છે.. વિકસિત ગુજરાત અને વિકસિત ભાજપ માં આપણે સહકાર આપીએ છે.. 25 જિલ્લામાં કાર્યક્રમો માં 2590 એમ ઓ યુ અને 25000 કરોડ ની આવક થશે.. 6500 હજાર રોજગારીનું સર્જન થશે.
તેમણે કહ્યું કે ખાદીગ્રામ ઉદ્યોગ,વન પ્રોડક્ટ બજાર,બીટુબી,બીટુસી નું આયોજન આપણે કરી રહયા છીએ.વાયબ્રન્ટ સમિટ થી મોટા ઉદ્યોગો આવ્યા છે અને સાથે નાના ઉદ્યોગો પ વિકસિત થઇ રહયા છે વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટ ન સપનું વડાપ્રધાન ન છે, જેમાં કામગીરી પણ શરુ થઇ ચૂક્યું છે.. અમદાવાદ હેરિટેજ અને મેટ્રો સીટી તરીકે ઓળખાય છે હવે મોટા ઉદ્યોગો માટે નું કેન્દ્ર બની રહ્યું છે.. વાઇબ્રન 2024 ની થીમ આપણે ગેટવે ઓફ ફ્યુચર ની થીમ પર બનશે..