ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન MS Dhoni અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુનીલ ગાવાસ્કરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સુનીલ ગાવાસ્કરે તેમના ક્રિકેટ રમવાના દિવસોમાં કરોડો લોકોને તેમના ચાહકો બનાવ્યા હતા. ક્રિકેટ ચાહકો હજુ પણ તેમની કોમેન્ટ્રીના દિવાના છે. પરંતુ શું તમે જાણો છો કે સુનીલ ગાવસ્કર પોતે કોના ફેન છે? ગાવસ્કરે રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેનો પુરાવો આપ્યો હતો.
ધોનીએ ગાવાસ્કરને આપ્યો Autograph
ચેન્નઈ અને કોલકતાની મેચ પુર્ણ થયા બાદ ધોની બ્રિગેડ ગ્રાઉન્ડની આસપાસ ગઇ હતી અને મેચ જોવા માટે આવેલા ચાહકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમણે ચેન્નઈના ચાહકોમાં કેટલીક ભેટ પણ વહેંચી હતી. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વચ્ચે જ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર માહીનો ઓટોગ્રાફ લેવા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા સુનીલ ગાવસ્કરે દેશના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલરોની સામે 10,000 થી વધુ રન બનાવનાર ગાવસ્કરે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ પોતાની છાતી પાસેના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો.
Proof that @msdhoni is the legend of legends!
During @ChennaiIPL's lap of honour for their wonderful fans, #SunilGavaskar rushed to Dhoni and a truly #Yellovemoment was created by the two legends!
Tune-in to #IPLOnStar LIVE every day.#BetterTogether pic.twitter.com/hzDDdMkYjG
— Star Sports (@StarSportsIndia) May 15, 2023
ધોનીએ મેદાનનો એક ચક્કર લગાવ્યો
મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાર ફરી ક્રિકેટમાંથી નિવૃત્તિ પર બોલતા કહ્યું હતું કે તે ચેપોકમાં તેની છેલ્લી મેચ રમશે. ચેપોક ખાતે IPL 2023માં CSK ટીમની આ છેલ્લી મેચ હતી. CSK ને KKR સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચ પુરી થયા બાદ ધોનીએ CSKના ખેલાડીઓ સાથે મેદાનનો એક રાઉન્ડ લીધો હતો. જ્યારે ધોની મેદાનની પ્રદક્ષિણા કરી રહ્યો હતો. ત્યારે ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિ ધોનીની એક ઝલક જોવા માંગતો હતો.
CSK સામે KKR ની કેવી રહી મેચ?
આ મેચની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર લીગ સ્ટેજની છેલ્લી મેચ હતી. જોકે, તેને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો, જો તે રવિવારે અહીં જીતી ગઈ હોત તો તેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હોત. જોકે તેની પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. CSK ટીમ શનિવારે પોતાની છેલ્લી લીગ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે. અહીં તે પોતાની જીત સુનિશ્ચિત કરશે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન આરામથી સુરક્ષિત કરશે. જો તે પ્લેઓફમાં સ્થાન મેળવે છે, તો પછી ભલે ચેન્નઈની ટીમ ક્વોલિફાયર 1 માટે ક્વોલિફાય થાય કે એલિમિનેટ 1 માટે, તે ફરી એકવાર આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. કારણ કે આ બંને મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં જ યોજાવાની છે. ઘણા નિષ્ણાતો IPL ની આ સીઝનને એમએસ ધોનીના કરિયરની છેલ્લી સીઝન કહી રહ્યા છે. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે ધોની આ સીઝન પછી આ લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે. પરંતુ ધોની પોતે ઘણી વખત તેનો ઇનકાર કરી ચૂક્યો છે અને તેણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેનો આ લીગમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
આ પણ વાંચો – ચેપોક સ્ટેડિયમ ધોની ધોનીથી ગુંજી ઉઠ્યું, પ્રેન્જન્ટેશનમાં મુશ્કેલી પડી તો માહીએ કર્યું કઇંક આવું…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ