અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની કે જેણે તેની કેપ્ટનશીપમાં ભારતને અનેક મેચોમાં વિજય આપવી છે. ધોનીની ગણતરી સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. કેપ્ટનદશીપના કારણે તેને ટોપ પર રાખવામાં આવે છે. ધોની ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયો હોય પરંતુ તેના ફેન બેઝમાં કોઈ ઘટાડો થયો નથી. ધોની વધારે પડતો મેદાન પર શાંત દેખાય છે પરંતુ તેના પાર્ટનરે તેમના વિશે અનેક ખુલાસાઑ કર્યા છે.
‘Dhoni શાંત નથી’
ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માએ ધોનીને લઈને અનેક ખુલાસાઓ કર્યા છે. ઈશાંતે જણાવ્યું છે કે, ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એમએસ ધીનીમાં ઘણા બધા ગુણો છે. તેણે જણાવ્યું કે, ‘કેપ્ટન કૂલ’ મેદાન પર ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ કરે છે.
મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ
એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતાં ઈશાંતે કહ્યું કે, માહી ભાઈ શાંત સ્વભાવના નથી તેમના બીજા અનેક ગુણો છે. તે ઘણી વખત મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને મે તે સાંભળ્યું છે. ભલે તે IPL દરમિયાન હોય કે ભારતીય ટીમ સાથે. તમને માહી ભાઈ સાથે કોઈના કોઈ તો બેસેલો જોવા જ મળશે.
એક ઘટના યાદ કરીને કહ્યું…
ઈશાંતે ધોની સાથેની એક ઘટના યાદ કરી અને કહ્યું, ‘એક મેચમાં બોલિંગ પૂરી કર્યા બાદ માહી મારી પાસે આવ્યા અને પૂછ્યું – તું થાકી ગયો છું? મે જવાબ આપ્યો કે, હા ઘણો થકી ગયો છો. પછી ધોનીએ કહ્યું, બેટા તું ઘરડો થઈ રહ્યો છું, છોડી દે. દિલ્હીના ઝડપી બોલરે એ પણ કહ્યું કે, ધોનીએ એક ટેસ્ટ મેચ દરમિયાન ઈશાંતે થ્રો બરોબર ન માર્યો તો ધોની ભડકી ઉઠ્યો હતો. પછી તેમણે કહ્યું, હાથમાં માર…
આ પણ વાંચો : West Indies સામેની શ્રેણીમાં આ ખેલાડીઓ મચાવશે ધૂમ..!