વનડે વર્લ્ડ કપને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે. ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાવાનો છે. સમયાંતરે તેને લઇને કોઇને કોઇ સમાચાર સામે આવતા રહે છે. હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને BCCI પાસે ફરી એકવાર વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરીને મોટો ઝટકો આપ્યો છે. BCCI એ ICC સાથે મળીને 100 દિવસ બાકી રહેતા વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું હતું. હવે વર્લ્ડકપનું શેડ્યૂલ ફરી એકવાર બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હૈદરાબાદ પોલીસે પાકિસ્તાનની મેચ પહેલા BCCI સમક્ષ નવી મુશ્કેલી ઊભી કરી છે.
વર્લ્ડ કપમાં થઇ શકેે છે ફેરફાર
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપને લઈને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને BCCI ને પત્ર લખીને કાર્યક્રમમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. BCCI ને લખેલા પત્રમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને લખ્યું છે કે તે સતત બે વર્લ્ડ કપ મેચોનું આયોજન કરી શકશે નહીં. તેણે બંને મેચ વચ્ચે ગેપ રાખવાની માંગ કરી છે. જણાવી દઇએ કે, વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે 6 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે રમાશે. આ મેદાન પર ત્રીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 10 ઓક્ટોબરે રમાશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને 9 અને 10 તારીખે યોજાનારી સતત બે મેચો સામે વાંધો ઉઠાવ્યો છે. આ પહેલા આ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 12 ઓક્ટોબરે રમાવાની હતી. પરંતુ 15 થી 14 ઓક્ટોબર દરમિયાન ભારત સામેની મેચ શિફ્ટ થવાને કારણે, BCCIએ પાકિસ્તાન અને શ્રીલંકા મેચને 12 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી શિફ્ટ કરી હતી જેથી પાડોશી દેશને તૈયારીઓ માટે પૂરતો સમય મળી શકે. વળી, આ મેદાન પર પાકિસ્તાન 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે મેચ રમવાનું છે.
હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાશે
વનડે વર્લ્ડ કપની આ મેગા ટૂર્નામેન્ટની કુલ ત્રણ મેચ હૈદરાબાદમાં રમાવાની છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે. અને ત્રીજી મેચ 10 ઓક્ટોબરે રમાશે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આથી પાકિસ્તાને પણ આ મેચ પહેલાં સમય માંગ્યો હતો. જો HCA ના સૂચન બાદ મેચનું સ્થળ અથવા તારીખ બદલવામાં આવે છે, તો હૈદરાબાદમાં પ્રવાસની યોજના બનાવનારા ચાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટિકિટના વેચાણમાં એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે.
વર્લ્ડ કપ 2023 માટે ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી
હૈદરાબાદ પોલીસે બેક-ટુ-બેક મેચો, ખાસ કરીને પાકિસ્તાન મેચો માટે સુરક્ષા પૂરી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે BCCI શેડ્યૂલમાં ફરી ફેરફાર કરશે કે નહીં. વર્લ્ડ કપ 2023 માટે ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી 7 તબક્કામાં શરૂ થશે. વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ મેચ સાથે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ જ મેદાન પર 19 નવેમ્બરે ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો – Asia Cup પહેલા બાંગ્લાદેશનો આ ખેલાડી અંગારા પર ચાલીને લઇ રહ્યો છે ટ્રેનિંગ, જુઓ Video
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ