અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
મોંઘવારીના આ યુગમાં ગરીબોને સ્વજનના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા માટે પણ પૈસા ન હોય તેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે બસ આજ યુક્તિ અંકલેશ્વરમાં સાર્થક થઈ છે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં પતિના અવસાન બાદ પત્ની અને દીકરો મૃતદેને લઈ વાલ્યા ચોકડી નજીક આવ્યા અને અંતિમ સંસ્કારના રૂપિયા ન હોવાના કારણે આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યા,અંતિમ સંસ્કાર કરવા જેટલા પૈસા પણ તેમની પાસે નહોતા.. આખરે મૃતકના અંતિમ સંસ્કાર માટે અંકલેશ્વરની એક ટીમ ઈશ્વર બનીને આવતા જ મૃતકની પત્ની અને દીકરાએ રાહત અનુભવી હતી
કહેવાય છે ને કે મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટે જજુમવું પડે તે ગંભીર બાબત કહેવાય પરંતુ ઘરવિહોણા લોકોની ઘણી વખત હાલત કફોડી બની જતી હોય છે અને પોતાના સગા સંબંધીના જ્યારે મોત થતા હોય ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે પણ ગજામાં પૈસાનો અભાવ હોય ત્યારે ચિંતા અને મૂંઝવણ અનુભવતા હોય છે બસ આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના વાલીયા ચોકડી નજીક બ્રિજની નીચે રહેતા ઘરવિહોણા પરિવારની ઘટના સામે આવી છે જેમાં ઘરવિહોણા પરિવારનો મોભી કે જેને કમળાની બીમારી થઈ હતી અને તેને સારવાર માટે બરોડાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું અને તેના મૃતદેહને લઈ મૃતકની પત્ની અને દીકરો ભરૂચ વાલિયા ચોકડી નજીક લાવ્યા હતા
રાત્રીએ મૃતદેને વાલિયા ચોકડી નજીકના બ્રિજ નીચે લાવી ખાટલામાં રાખ્યો હતો. પરંતુ તેના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતકની પત્ની અને દીકરા પાસે અભાવ હતો આખી રાત મૃતકની પત્ની અને મૃતકનો દીકરો આંખમાં આંસુ સાથે ચિંતા અને મૂંઝવણ અનુભવતો હતો ખાટલામાં મૃતક વ્યક્તિ હોય અને તેના અંતિમ સંસ્કારનો પ્રશ્ન ગંભીર હોય નજીકથી પસાર થતાં વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસના જવાનોએ અંકલેશ્વરના રજનીસશિંગનો સંપર્ક કર્યો અને આખી રાત મૃતદેહ સાથે રહેલા મૃતકની પત્ની અને દીકરાની વેદના જણાવતા જ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ.
રજનીસ સિંગ અને તેમની ટીમ દ્વારા ઘરવિહોણા અને લાચાર બનેલા મૃતકની પત્ની અને દીકરાની હિંમત આપી અને ખાટલામાં રહેલા મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે સબવાહીનીમાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો જ્યાં સામાજિક સેવાની ટીમના લોકોએ મૃતકના દીકરા પાસે અગ્નિદાહ અપાવી અંતિમ વિધિ કરાવી અનેક ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું પતિના અંતિમ સંસ્કાર થતા પત્ની ચિંતા મુક્ત થાય પણ પતિ વિનાની પત્ની અને પિતા વિનાના દીકરો આજે પણ લાચાર બન્યો છે પણ અંકલેશ્વરની સંસ્થાએ તેઓને હિંમત આપી અને રજનીસશિંગે પણ આ એક અંતિમ સંસ્કાર નહીં પરંતુ આવા 50થી વધુ અંતિમ સંસ્કાર કરી સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે