અહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ
મુંદરા તાલુકાના મોટી ભુજપુરમાં આજે સવારે કેનાલમાં ન્હાવા પડેલાં બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા જ્યારે ભુજના હમીરસર તળાવમાં મોતની ઘટના સામે આવી છે
મુંદ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ સવારે આઠથી દસના અરસામાં દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર અનંતકુમાર નિત્યાનંદ યાદવ (ઉ.વ. ૧૧) અને હિતેશ ખુશીલાલ પાલ (ઉ.વ. ૧૪) કેનાલમાં ન્હાવા પડ્યાં હતાં અને અકસ્માતે ડૂબી ગયાં હતાં.શ્રમજીવી પરિવારના બે બાળકો મોટી ભુજપુરમાં પોસ્ટ ઑફિસ પાસે રહેતાં હતાં. દુર્ઘટના અંગે જાણ થયાં બાદ ગામના તરવૈયાઓએ કેનાલમાંથી ભારે જહેમત બાદ બેના મૃતદેહ બહાર કાઢ્યાં હતાં.
બીજી તરફ ભુજ શહેરના હમીરસર તળાવમાં આજે વધુ એક વ્યક્તિએ કૂદકો મારીને જીવનનો અકાળે અંત આણી દીધો છે. ઘટના અંગે જાણ થયાં બાદ ફાયરબ્રિગેડના ટીમના અજ્ઞાત યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો